________________
આનંદઘન પદ - ૪૮
૨૪૧
જાળા ગુંથે નહિ. બુદ્ધિના દાવપેચ રમે નહિ અને કોઈને ઉતારી પાડે નહિ, કોઈની નિંદા ટીકા કરે નહિ, કોઈને હલકા ચીતરે નહિ તે પોતે પ્રેમ સ્વરૂપ હોવાના કારણે પોતાના કણાપ્તાવિત હૃધ્યમાં બધાને સ્થાન આપે. બધાને પ્રેમ આપે. બીજાની ત્રુટિની પણ પ્રેમથી પૂર્તિ કરી આપે. એની પાસે જન્મજાત જેન કે અજેન બધા જ આવે. એના સાન્નિધ્ય - ઉપનિષદમાં આવનારા કંડક-ટાઢક અનુભવે. બઘાંને તે વ્યક્તિ પોતાની જ હોય એમ લાગે. આ સઘળી વીતરાગમાર્ગ પાખ્યાની અને વીતરાગવિજ્ઞાન સમજ્યાની નિશાની છે. આ અભિગમ, વાદ કરવા આવેલા ઈશ્વભૂતિ ગૌતમ પ્રતિ ભગવાન મહાવીરસ્વામીમાં જોવા મળે છે.
વિચારવંત શાંત ચિત્તે વિચારવું જોઈએ કે મારું તત્વ સાચું હોવા છતાં સમો કેમ તેને સ્વીકારતો નથી ? વિચાર કરતાં કારણો સ્પષ્ટ થશે કે અસ્વીકારની પાછળ જે કારણો છે તે આગ્રહ, અહંકાર, કકચ, નિંદા ટીકા, હલકા ચીતરવાની મનોવૃત્તિ અને પોતાને સારા દેખાવાના ભાવ, જેના કારણે સત્ય, સત્ય ન રહેતાં દુષિત સત્ય બની જાય છે, જે અન્યને આવકાર્ય અને સ્વીકાર્ય બનતું નથી.
યોગિયૅ મલીને યોગણ કીની, ચીતિચેં કીની ચતાણી; ભગતેં પકડી ભગતાણી કીની, મતવાલે કીની મતણી. માય....૨.
મારી બુદ્ધિ અને પક્ષપાતી પંથોમાં દોરી ગઈ અને હું હતો નિષ્પક્ષ - નિરપેક્ષ અભેદ તત્ત્વની શોધમાં. મંત્રતંત્રની સિદ્ધિઓની સાધના કરનારા તાંત્રિકો, કાપાલિકો, હઠયોગી એવા યોગીઓ-જોગીબાવાઓ હતાં કે જેમનામાં આત્મતત્ત્વની પૂર્ણ પણે અણસમજણ અને બાહ્ય સિદ્ધિઓને મેળવવાનો જ મોહભાવ હતો. મારી બુદ્ધિ એમાં ભળી જઈ તેમના પંથની ક્રિયાઓ કરવા લાગી. અર્થાત્ એ યોગીઓએ મળીને મને યોગણ-જોગણ કીની-કીધી-કરી.
યોગીરાજજીના કાળમાં પંથ પંથ વચ્ચે વિખવાદ પણ ઘણા હતાં. યવનો-મુસલમાનો આખા ભારતમાં ફેલાય ગયા હતાં અને વટાળ પ્રવૃત્તિનો કેર વર્તાવી રહ્યાં હતાં. હિંદુઓમાં પોતામાં પણ વાડાભેદ, જાતિભેદ આદિના ફસંપથી
એકાગ્રતા એ સામાયિક નથી પરંતુ સમતા એ સામાયિક છે.