SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૩૭ ૨૫૯ પદ - ૩૭ (રાગ - વેલાવલ) ता जोगे चित्त ल्याउं रे वहाला || ता. ॥ समकित दोरी शील लंगोटी, घुल घुल गांठ घुलाऊं । તવ શુwા લીપ ગોરું, ચેતન રતન નઝ રે, વહાલા તા. / ૧ // अष्ट कर्म कंडेकी धूनी, ध्यान अगन जलाऊं; उपशम छनने भस्म छणाउं, मलीमली अंग लगाउरे, वाहाला || ता. ॥ २ ॥ आदि गुरुका चेला होकर, मोहके कान फराउं । धर्म शुद्ध दोय मुद्रा सोहे, करुणा नाद बजाउं रे, वाहाला || ता. ॥ ३ ॥ इहविध योग सिंहासन बैठा, मुगति पुरीकुं ध्याउं रे । आनन्दघन देवेन्द्रसें जोगी, बहुर न कलिमें आउं रे ॥ वाहाला || ता.॥ ४ ॥ પૂર્વના પદમાં કાયાએ ઠાલવેલી હૈયાવરાળ અને એના ઠપકાનો જાણે જવાબ આપતા હોય એમ યોગીરાજજી આ પદમાં કાયાને પોતાનો પરિચય આપતા પોતાનો પ્રભાવ બતાવે છે કે અરે કાયા ! તારી સાથે તો અનંતકાળથી, અનંતાભવોથી હું સંબંધ બાંધતો આવ્યો છું અને તારો પરિચય કરતો આવ્યો છું, છતાં હું તારા સ્વરૂપને અને તારા ગુણધર્મોને હજુ બરોબર ઓળખી શકયો નથી. મારી એજ મહાભૂલ-મુર્ખામી - Blunder આજે મને પીડી રહી છે. જાતનો વિચાર કરતાં મને એમ થાય છે કે હું કેવો મૂર્ખ અને ગમાર કે તારા સંગના ભૂલાવામાં હું મને જ ભૂલી ગયો તે એટલે સુધી કે હું મારી પોતાની જ ઓળખ ખોઈ બેઠો. હું તારા ભૂલાવામાં આવી મારા, મારાપણાના પોતાના જ અનંતા ગુણ વૈભવને, ગુણવિલાસને, મારા અદ્વિતીય કોટિના અનંત નિજાનંદને ગુમાવી બેઠો ! ચાર ગતિના ચોગાનમાં જુદા જુદા સ્વાંગ સજી મેં અનંતા ખેલ કર્યા, જેના પ્રભાવે અનંતા જન્મ-જરા-મરણ-નરકાદિના દુઃખના ભાગી બની અસહ્ય યાતનાઓ વેઠી. અનંતા અવતારોની પુણ્યરાશિના ફળસ્વરૂપ ભાગ્યોદય થયો છે ત્યારે મને તારી પણ ઓળખ થઈ છે અને મને મારી પણ મૂળમાં હું નિષ્કલંક છું પણ કર્મના ઉદયથી કલંકિત છું.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy