SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આનંદઘન પદ મારો બાળ સન્યાસી, પરઘરમાંથી બહાર નીકળી જઈ યોગી બની ધર્મયૌવનને પ્રાપ્ત કરી ૭મા, ૮મા, ગુણસ્થાનકેથી શ્રેણિના મંડાણ કરી તેરમાં ગુણસ્થાનકે આરોહણ કરી ધર્મસન્યાસી બની સ્વના શુદ્ધ, શાશ્ર્વત, સંપૂર્ણ, સર્વોચ્ચ, સ્વાધીન આનંદમાં સમાઈ જાય નહિ જાય ત્યાં સુધી મનનો બળાપો શાંત થનાર નથી અને નિરાંતનો શ્વાસ લેવાવાનો નથી. અર્થાત્ આત્માના અસ્થિ સ્વભાવને પામુ નહિ ત્યાં સુધી મારે સતત સક્રિય, સાવધ, જાગૃત જ રહેવું પડશે. મંદિરમાં બિરાજમાન પરમાત્માના દર્શન અને ઓળખ છે પણ દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્માની ઓળખેંય નથી અને દર્શનેય નથી. - પદનો બોધ એ છે કે પ્રાપ્ત મન-વચન-કાયાને ભોગમાં પ્રયોજશો તો રોગના ભોગ બની ભવ હારી જશો. પણ જો એને નાથશો અને પરમાત્મસ્વરૂપ મિલનમાં પ્રયોજશો તો યોગ બની યોગસાધનામાં સાથ આપતા યોગરૂપે પ્રવર્તશે અને યોગાતીત બનવા અને ભવાંત લાવવામાં સાથ આપશે. 筑 જ્ઞાની સામાયિક લેતો નથી પણ સામાયિકમાં રહે છે. જ્યારે અજ્ઞાની સામાયિક લે તો છે પણ સામાયિકમાં રહેતો નથી. પરિણમન શ્રદ્ધાનુસારી છે. 39
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy