SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - 39 પદ 39 (રાગ ; માલસિરી) ― वारे नाह संग मेरो, यूंही जोबन जाय । ए दिन हसन खेलनके सजनी, रोते रेन विहाय ॥ वारे. ना सोवत हे लेत उसास न मनही में पिछताय । ૨૫૩ नग भूषणसे जरी जातरी, मोतन कछु न सुहाय । રૂ યુદ્ધ નિયમેં પેસી આવત હૈ, હીને રશે વિષ પ્લાય ! યારે. ॥ ૨ ॥ योगिनी हुंके निकसूं घरतें, आनन्दघन समजाय ॥ वारे. || ૧ || ॥ 3 ॥ યોગીરાજ આનંદઘનજી મહારાજાએ સ્તવનો, પદોની જે રચના કરી છે તે અંતરાત્મામાંથી પ્રેરણા પામી સ્વયંસ્ફુરિત થઈને કરી છે. એમની રચનામાં અગોચર પરાવાણી ઉછળી રહી છે. એમની રચનામાં એમના આત્માની ખુમારી અને આત્માની મસ્તી ઝળકે છે. એમની રચનામાં ચાતુરીની ફતુરી કે અહં મમની છાંટ નથી. તેમની રચનામાં શુદ્ધાત્માની સાન ઝળકતી જોવામાં આવે છે. ગંભીર આશયોથી ભરેલી આ દિવ્ય વાણીનો સાર કોઈ વિરલા જ તારવી શકે એમ છે. પોતાના આત્મામાં ચાલતી સમતા અને મમતાની હલચલ યોગીરાજ સમભાવમાં રહી નિહાળી રહ્યાં છે. નર અને નારી-માદાના એકમેક સાથેના જોડાણથી આ સંસારની ગાડી વગર પાટે અનંતકાળથી દોડી રહી છે. પુરુષ અને પ્રકૃતિના ગુણધર્મો સમાન હોત તો બંને વચ્ચે ખટરાગ થવાને કોઈ અવકાશ રહેત નહિ. પરંતુ પુરુષ અને પ્રકૃતિ બંનેના ગુણધર્મો એકમેકથી વિરુદ્ધ હોવાના કારણે બંને વચ્ચે ખટરાગ અનંતકાળથી ચાલ્યો આવે છે. આપણે ત્યાં કહેવત છે કે ‘આંધળે બહેરું છુટાય છે’. પુરુષ અને પ્રકૃતિના મિલનમાં આંધળે બહેરું જ છુટાય છે, કારણ કે પુરુષ - આત્મા જોવા જાણવાના સ્વભાવવાળો હોવાથી એનામાં સાંભળવાનો ગુણ નથી તેથી તે બહેરો છે. દોષથી સંસાર છે, ગુણથી મોક્ષમાર્ગ છે પણ સ્વરૂપલીનતા એ મોક્ષ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy