SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ આનંદઘન પદ - કેશરિયા કરી, જંગ ખેલી લેશે તો એ જંગની વિજયશ્રી રૂપ અમિત એટલે આવ્યા પછી કદી ચાલી નહિ જનાર એવું અપ્રતિપાતી શાશ્ર્વત અમિટ - અમાપ અપાર - અનંત સુખ આવી મળશે. જેણે જીવનભર ધર્મને પાળ્યો છે અને મનને - ભાવને બગડવા નહિ દેતાં જાગૃતિપૂર્વક જીવતાં પ્રતિપળ ધર્મની રક્ષા કરી છે એવો પાળેલો રક્ષાયેલો ધર્મ ધર્મીની રક્ષા-ચાલતા અવશ્ય કરે છે. પાલના પદનો બોધ એ છે કે સમતા, સુમતિ, અનુભૂતિના સાથમાં જો મરણિયા થઈને મમતાને હાંકી કાઢશો તો મોહને પણ ભગાડી શકશો અને સીમિત, અસ્થિર, પરાધીન સુખની જગાએ અમિત, અમાપ, અપાર, અવિનાશી અનંત સુખને મેળવનારા બનશો. સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ એવાં ચૈતન્યમય ચિદ્ઘન સ્વરૂપને પામશો. 筑 – અતિજાગૃત આત્માને કુવિકલ્પ આવે જ નહિ, જ્યારે જાગૃત આત્માને કુવિકલ્પ આવે ખરો પણ સમર્થન ન હોય. – સંસારી છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન એ ચેતનથી વિખૂટું પડી ગયું છે તેથી વીતરાગતા રાગ-દ્વેષ રૂપે અને આનંદ સુખ-દુ:ખ રૂપે વિકૃત પરિણામ્યો છે. ૩૫ જોડાઈ ન જા ! જુદો રહે અને જોનારાને જો ! જાણનારાને જાણ !
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy