SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ આનંદઘન પદ - ૩૩ જાય તેમ સાધકને આત્માનુભવ થવાથી અને આત્માનુભૂતિ વધવાથી ભાવમના નિર્મળ બને છે, પરમાત્મમિલનની - પરમાભ્ય પ્રાગટ્યની રૂચિ વર્ધમાન થાય છે - જોર પકડતી જાય છે અને તેથી આત્માનુભૂતિ સિવાયની - પરમાભ્યા પ્રાગટ્ય સિવાયની સર્વ વાતો ગૌણ તો શું પણ વ્યર્થ બની જાય છે. એ સ્વાનુભૂતિ સંપન્ન ચેતનાનો તો એક જ પોકાર હોય છે કે કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.' અનુભવમિત્ર તો આત્મા સાથેનો તૂટી ગયેલો સાંધો એટલે કે આત્મપ્રેમના તૂટી ગયેલાં તંતુને - તારને જોડી આપે છે. મિલાપી સાથે મિલાપ કરાવી આપવાનું કામ જે જ્ઞાન કે વિવેક નથી કરી શકતું તે કામ જ્ઞાનદશા - અનુભવી મિત્ર કરે છે. આવા અનુભવ મિત્રને પોતાના ચેતનસ્વામી સાથે મેળાપ કરાવી આપવાની વિનતિ, ચેતનની સમતા-ચેતના પોતાની એ ચેતનાના વિયોગમાં વિરહિણીના થયેલાં બેહાલ વર્ણવતા આ શૃંગારમિશ્રિત શાંતરસ પદમાં યોગીરાજજી કરી રહ્યાં છે, જેમ પૂર્વના પદ ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮, ૩૧ માં તલસાટ - તડપન - ઝુરાપો વ્યકત કર્યો હતો. મિલાપી આન મિલાવો રે, મેરે અનુભવ મિઠડે મિત્ત. મિ. મારા મીઠડા - વહાલા અનુભવ મિત્ર, આપ તો મારા સ્વામી ચેતનના પણ મિત્ર છો. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંત સુખ-આનંદ અનંતવીર્યથી યુકત એવાં મારા સ્વામી ચેતનનો વિયોગ થયો છે અને હું એની ચેતના-સમતા એના વિરહમાં ઝૂરી રહી છું. એ મારા મિલાપી ચેતનનો મિલાપ થાય તે માટે હું તડપી રહી છે. એનો ને મારો મિલાપ કરાવી શકો - મિલાવો - મેળાવો. કરી શકો એવાં આપ મારા અને મારા સ્વામી ચેતનના વહાલા મિત્ર છો તેથી વિનતિ કરું છું કે એને આણો (આન) અને મિલન કરાવો.” યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માને આત્માની, એના સત્તાગત - ભીતરસ્થિત પરમાત્મસ્વરૂપની સમજણ આવી, સમતા પણ પ્રાપ્ત થઈ, પણ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી કે જે અનુભવજ્ઞાનથી સુકૃત અનુમોદનાની પૂર્વમાં દુષ્કૃતગહની અત્યંત આવશ્યકતા છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy