________________
૧૮૨
આનંદઘન પદ - ૨૬
પદ - ૨૬ (ાણ - આશાવરી)
अवधू क्या मागुं गुनहीना, वे गुन गनि न प्रविना ॥ अवधू. ॥ गाय न जानु बजाय न जानु, न जानुं सुरमेवा । रीज न जानु रीजाय न जानु, न जानु पदसेवा ॥ अवधू. ॥ ॥१॥ वेद न जानुं किताब न जानु, जानुं न लच्छन छंदा । तरक वादविवाद न जानु, न जानुं कविफंदा || अवधू. ॥ ॥२॥ जाप न जानु जुवाब न जानु, न जानुं कविबाता । भाव न जानुं भगति न जानु, जानुं न सीरा ताता ॥ अवधू. ॥ ॥३॥ ग्यान न जानुं विग्यान न जानु, न जानुं भजनामा । आनन्दघन प्रभुके घर द्वारे, रटन करूं गुणधामा | अवधू. ॥ ॥४||
આ પદમાં પોતાને ગુણહીન જણાવી યોગીરાજજી આનંદઘનજી મહારાજા પરમપ્રભુ પરમાત્મા સન્મુખ પોતાની પામરતા દર્શાવી જાણે કહી રહ્યાં છે કે....
હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ;
દીઠા નહીં નિજ દોષ, તો તરીએ કોણ ઉપાય. હે પ્રભુ! હું કાંઈ જ નથી અને આપ તો સર્વ છો. સર્વના જ્ઞાતા, સર્વગુણ સંપન્ન, સર્વશક્તિમાન સર્વજ્ઞ છો. આવા પરમ વિનય પૂર્વક વિનીત બની, પરમપિતા પરમાત્માના બાળ બની યોગીરાજજી સ્વયંની સ્યાતા - કથંચિતા - અલ્પતા - અજ્ઞાનતા શિશુભાવે જણાવી અચાતાની (પૂર્ણતાની) માંગણી કરે છે કે....
યાં વિના નિષ્પના: સર્વ: વત્તા-પુણવત્તાધવન ! आत्मधामकलामेकां, तां वय समुपास्महे ||
• શ્લોક ૧૦ - પરમાત્મ જ્યોતિ પંચવિંશતિ મહોપાધ્યાયજી.
સંસારમાં કોઈનું કશુંય ચાલતું નથી.