SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ ૨૫ પદ ૨૫ (૨૫ - ૨ામગ્રી) क्यारे मुने मिलसे महारो संत सनेही ॥ क्यारे. ॥ संत सनेही सूरिजन पाखे, राखे न धीरज देही ॥ क्या. ॥ - जन जन आगल अन्तरगतनी, वातलडी कहुं केही । आनन्दघन प्रभु वैद्य वियोगे, किम जीवे मधुमेही ॥ क्या. ॥ ૧૭૭ 11911 ||શા મનના મેળુની સાથેના મિલનનો જે ઝુરાપો કવિશ્રીએ ચોવીસમાં પદમાં વ્યકત કર્યો છે, તેના નિવારણને, તેઓશ્રી આ પદ દ્વારા વાંછે છે. એ માટે એઓશ્રી એવાં વૈદ્ય સંતને ખોળે છે કે જે એમના ઝૂરાપાનો ઈલાજ કરી, મનના માણીગર સાથે મિલાપ કરાવી વિયોગના દુ:ખને, વિરહની વેદના-પીડા-દરદને દૂર કરે. ક્યારે મુને મિલશે મહારો સંત સનેહી યોગીરાજજીનો આત્મા પોતે જ પોતાને પૂછે છે કે મને મારા મનમેલૂનો મેળાપ કરાવી આપનાર સંત કે જેણે સંસારના અંતને સમીપ આણી લીધો છે અને જે સ્વરૂપાનંદમાં ડૂબકી મારતા રહી આત્માનંદને પોતે તો આસ્વાદીરહ્યાં છે પરંતુ બીજાંને પણ એ આત્માનંદનો આસ્વાદ કરાવવા નિમિત્તરૂપ થવા સક્ષમ છે, તેનો સમાગમ મને ક્યારે થશે ? શ્રીમદ્ભુએ પણ આવી ઝંખના વ્યકત કરી છે.... અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ? આત્માને ઓળખીને આત્મધર્મ પામ્યા પછી, એ માર્ગે આગળ વધવા ગુણોની સાથે સંબંધ જોડાવાથી દોષો સાથેનો સંબંધ કપાઈ જાય છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy