________________
આનંદઘન પદ - ૧૫
૧૦૫
પોકારોનો શોર-કોલાહલ જેમ શમી જાય છે એમ આતમ ઘટમાં જ્ઞાનનો સૂર્ય (ગ્યાનભાનૂ) પ્રકાશતા - આત્માનુભૂતિથી આતમભાન થતાં ચેતના કહે છે કે ભોર-સવાર થયું અર્થાત્ કર્માવરણના અંધારા પડળો દૂર થયાં અને આતમ અજવાળું થતાં મને ચેતનનાને મારા ચેતનની ભાળ મળી અને ચેતનાનું ચેતનની સાથે મિલન થયું.
તે વખતના આનંદને કવિ આ પંકિતમાં ઉપસાવે છે. હારે મારે ચેતન ચકવો ઉપશમ સરોવર નીરજ
શુભમતિ ચકવી સંગે રંગ રમણ કરે રે લોલ. હારે મારે જ્ઞાન પ્રકારે નયણ ખૂલ્યા મુજ હોય જો.
જાણે રે ષદ્ભવ્ય સ્વભાવ યથા પરેરે લોલ. અંધકારરૂપ રાત્રિનો સમય વીતી જતાં પ્રાત:કાળનું પ્રભાત (ભોર) પ્રગટતા પૃથ્વીતલને વીંટળાઈને રહેલાં વાતાવરણને વીંધીને સૂર્યકિરણો બહાર આવે છે. એજ પ્રમાણે સમ્યક્ત્વરૂપ જ્ઞાનભાનુનો ઉદય આતમ ઘટમાં થતાં મિથ્યાત્વરૂપી અજ્ઞાન, આગ્રહ, ખોટી પકડો, દુરાગ્રહ, મતાગ્રહ રૂપી અંધકાર દૂર થતાં વિવેકજ્ઞાનના ઉજ્જવળ કિરણો અંદર અંતરતમમાં પ્રગટ થયાં હોય અને સ્વરૂપનું દર્શન - ચેતનનું દર્શન થયું હોય એવો અનુભવ સાધક આત્માને થાય છે. આવું અનુભૂતિ જ્ઞાન-અનુભવ પ્રકાશ થતાં એવું જણાય છે કે આ આત્માવતિના જ્ઞાનપછાશ આગળ બાકીના જ્ઞાન તો માત્ર શાદિકવાયાજ્ઞાન છે. એ તો માત્ર જનરંજન છે. એ કાંઈ આત્મરંજન-નથી. મિથ્યાત્વરૂપી અજ્ઞાન અંધકારચિરાઈ જઈને જ્ઞાનપ્રકાશ આત્માની ક્ષિતિજ ઉપર પથરાઈ ગયાનો આવો અનુભવ સાધનાના આરંભકાળમાં ધ્યાનકાળે થતો હોય છે.
પ્રાત:કાળ અરુણોદય થતાં જ પુનર્મિલન થતાં ચકવાચકવી આનંદ કિલ્લોલ કરતા થાય છે, કૂકડાઓ સૂર્યનારાયણના આગમનની છડી પોકારતા હોય એમ કૂકડેકૂકથી વાતાવરણને ગજવી નાખતા સૃષ્ટિ સમગ્ર જાગૃતિનો સંદેશ. આપતા જણાય છે. મેના, પોપટ, ચકલા ચકલી પારેવા મોર પોતપોતાની મધુર વાણીથી પ્રભાત થયાંની ખુશહાલી વ્યકત કરતા વાતાવરણને પ્રફુલ્લિત કરી
કર્મના ઉદયને જોતા શીખો, જ્ઞાતા-દષ્ટા ભાવમાં રહો.