SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આનંદઘન પદ - ૧૫ પદ - ૧૫ (રાગ – સારંગ) मेरे घट ग्यान भानु भयो भोर || मेरे. || चेतन चकवा चेतना चकवी, भागो बिहरको सोर ॥ मेरे. ||१|| फैली चिहु दिसि चतुरा भाव रूचि, मिट्यो भरम तम जोर ॥ आपकी चोरी आपही जानत, और कहत न चौर ॥ मेरे. ॥२॥ अमल कमल विकचभये भूतल, मंद विषय शशि कोर । आनन्दघन एक वल्लभ लागत, और न लाख किशोर || मेरे. ॥३॥ . આ પદ આનંદઘનજીના આત્માનુભૂતિના આનંદોદ્ગાર છે. મેરે ઘટ ગ્યાન ભાન ભયો ભોર મેરે. ચેતન ચકવા ચેતના ચકવી, ભાગો બિહરકો સૌર મેરે...૧. શુદ્ધ ચેતનરૂપ ચકવો એટલે કે ચક્રવાક પક્ષી એની શુદ્ધ ચેતનારૂપી ચકવી એટલે કે ચક્રવાકી માદાથી રાત્રિના અંધકારમાં વિખૂટો પડી જાય છે. નદીના સામસામા કિનારે એકબીજાથી છૂટા પડી ગયેલાં એ ચકવા અને ચકવી રાત્રિના અંધકારમાં એકમેકને દૃષ્ટિથી જોઈ શકતા નથી પણ વિરહાગ્નિમાં વ્યાકુળ બનેલા એકમેકને તું ક્યાં છે? હું અહીં છું ના પોકારોથી પોકારી રહી આખીરાત મિલનના તરસ્યા એ વિખૂટા પડી ગયેલાં પ્રેમી પંખીડા વિરહના પોકારથી શોર - કોલાહલ (બિહરકો સોર) મચાવે છે. એજ પ્રમાણે ચેતનથી વિખૂટી પડી ગયેલી ચેતના પણ કર્મના આવરણોના, અંધકાર પડળના કારણે ચેતનને જોઈ શકતી નથી તેથી ચેતનને મેળવવા તરસી થયેલી વિરહના પોકારો પાડે છે. હો ફાટતા - અરુણોદય થતાં ચકવા ચકવીનું પુનઃમિલન થતાં વિરહના અવિનાશી આત્મા વિનાશીમાં કઈ રીતે - કેવી રીતે ડૂબે ?
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy