SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આનંદઘન પદ - ૧૨ દેહને ત્યાં પારકે ઘેર ગિરવે પડી છે અને પારકાની બંદી બની બંદીખાને ઘલાઈ છે. એ આપણા સાયિક સમ્યગ જ્ઞાન - કેવળજ્ઞાન, સાચિક સમ્યગ્દર્શન - કેવળદર્શન અને સહજ સરળ સતત શાશ્વત અનંત આનંદ સુખરૂપ લાલના રાજાને પરઘેરથી - પરદેશથી, સ્વઘેર સ્વદેશ લઈ આવવાનો છે. આનંદઘનજી મહારાજા એકને એકથી જોડીને આત્માને ધ્યાન સમાધિમાં લીન કરીને, સુમતિ અને સમતા રાણીઓથી સુરક્ષિત રહી કેવલદર્શન કે કેવલજ્ઞાન રૂપ લાલના રાજાની ઘરમાં આવવાની - પ્રગટ થવાની કાગને ડોળે રાહ જોઈ રહ્યાં છે. એ લાલનો બાદશાહ આવે એટલી વાર છે, એ આવતાં જ માયાની બધી બાજી સમેટાઈ જવાની છે - વીંટળાઈ જવાની છે અને એનું બધું જોર વિખેરાઈ જતાં, એના તોરને હવાઈ જતાં કોઈ વાર લાગવાની નથી. ભાવ વિવેકકે પાઉ ન આવત, તબ લગ કાચી બાજી; આનંદઘન પ્રભુ પાઉ દેખાવત, તો જીતે જિય ગાજી. પ્રાણી...૫. આત્માને સતત રાગ-દ્વેષના વિષમભાવો થયા કરે છે કેમકે ઐતની વચ્ચે રહે છે અને તેથી ઐતમાં ઠંદ્ર (યુદ્ધ) થયા કરે છે. વિષમભાવથી છૂટવા માટે સમભાવની - સમતાની જરૂર છે. હવે ભાવ જે થાય છે તે વિષમ છે કે સમાં છે તેની, સાચા અને જૂઠાની તારવણી કરી સાચું માર્ગદર્શન કરાવી સાચા માર્ગે ચલાવનાર વિવેકની પણ જરૂર છે. જયાં સુધી ભાવ વિવેક સૂક્ષ્મબોધ જે હુકમનું પતું છે તે બાદશાહની એકાની પાસે (પાઉ) - પડખે નહિ આવે ત્યાં સુધી બાજી જીતની નહિ સમજતા તેને હારની - કાચી બાજી જ સમજવી. હજ કચાશ રહી ગઈ છે એમ જ જાણવું. શાંતિ, સુખ - પ્રસન્નતા, પ્રેમ, સર્વત્ર, સર્વસમયે, સર્વ સંયોગોમાં આનંદ આનંદ વર્તાય એવી આનંદઘન - આનંદના નક્કર સમુહરૂપ હું છું, એવું જીવનમાં જણાવા - દેખાવા માંડે અને એના પરચા (અહીં પાઉનો અર્થ પરચો લીધો છે) જોવામાં આવે - એંધાણી - લક્ષણો દેખાય ત્યારે એટલે કે અંતરમાં જીતના જય જયના નાદનો ધ્વનિ ગુંજવા - ગાજવા લાગે એટલે હવે આપણે પાર નિર્વિકલ્પતા એ આત્માનો મોક્ષ છે - ભાવમોક્ષ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy