________________
૮૬
અમૃતવેલની સઝાય યથાઉચિત વ્યવહાર કર પણ મોહથી રંગાઈ ન જા. જેમ કોઈ એક શેઠને ત્યાં નોકરી કરતો કર્મચારી શેઠ કહે તેમ બધું જ કાર્ય કરે પણ નોકરી સમજીને. કોઈપણ કામમાં તે રંગાઈ ન જાય. પોતાની નોકરીનો સમય પૂર્ણ થાય એટલે ટેબલ ઉપર ગમે તેટલા કામના ઢગલા હોય તો પણ તે ટેબલ છોડીને ઘરે જ જતો રહે, કારણ કે તે કામ પોતાના લાભનું નથી આમ મનમાં સમજે છે. તેમ છે જીવ ! આ સઘળી સંસારની માયા પરદ્રવ્ય છે. સમય આવે છોડીને જ જવાનું છે. માત્ર સંયોગ સંબંધથી આ જીવ તેની સાથે જોડાયો છે. આમ સમજીને હૃદયથી અલિપ્ત થા. જેમ નોકરી કરનારો માણસ પોતાની જવાબદારી અદા કરે છે પણ લપાતો નથી તેમ તું સંસારના બધા વ્યવહારો ભલે કર પણ લિપ્ત ન બન.
તારું પોતાનું અસલી સ્વરૂપ તો અક્ષય, અકલંકિત અને અખંડ જ્ઞાનાનંદમય છે. આયુષ્યકર્મના કારણે જ તારે જન્મ-મરણ લેવાં પડે છે. જો આયુષ્યકર્મ ન હોય તો તારે જન્મવાનું કે મરવાનું ક્યારેય હોય જ નહીં. આ આત્મા તો “અક્ષય” સ્વરૂપવાળો છે. જેટલા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે તેમાંના કોઈપણ આત્માને મરવાનું ક્યારેય પણ આવતું નથી. એટલે ક્ષય ન થવું આવું તારું સ્વરૂપ છે. તથા વળી અકલંકિત તારું સ્વરૂપ છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે,