________________
૭૬
અમૃતવેલની સજ્ઝાય
ચુકતો નથી. તપના પ્રસંગે તપ, દાનના પ્રસંગે દાન, સ્વાધ્યાયાદિના પ્રસંગે સ્વાધ્યાયાદિ, વૈયાવચ્ચના અવસરે વૈયાવચ્ચ કરવાનું આ જીવ ચુકતો નથી. છે મિથ્યાર્દષ્ટિ તો પણ ઉચિત મર્યાદાનું અવશ્ય આચરણ કરે છે. આ પણ . તેનામાં ગુણ છે. આ રીતે આ ત્રણે શ્રેષ્ઠ ગુણો છે. મિથ્યાર્દષ્ટિ જીવમાં પણ આવા સારા સારા ગુણો હોય છે. તેની હે જીવ ! તું તારા આત્માની સાક્ષીએ અનુમોદના કર. તેના મિથ્યા મતની પુષ્ટિ ન થાય તે રીતે અને તારામાં તેના ગુણો પ્રત્યે અહોભાવ પ્રગટે તે રીતે તેના ગુણોની પ્રશંસા કર. જેથી હે જીવ! તારામાં પણ આવા ગુણો આવે. ।૨૧।
થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે । દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમ જાણ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૨૨ા
ગાથાર્થ :- પારકા જીવમાં જે થોડો પણ ગુણ રહેલો છે. તે સાંભળીને મનમાં હર્ષ લાવ અને પોતાનામાં નાનો પણ દોષ દેખતાં પોતાના આત્માને નિર્ગુણ જ છે. પોતાનામાં કોઈ એવા વિશિષ્ટ ગુણો નથી એમ તું જાણ. I॥૨૨॥
વિવેચન :- (૪૬) સજ્જન પુરુષોની આવી નીતિરીતિ હોય છે કે પોતાના દોષો જ દેખવા અને બીજાના ગુણો જ દેખવા. જેથી બીજા ઉપર બહુમાન થાય. અહોભાવ પ્રગટે