________________
અમૃતવેલની સઝાય
- ૭૧ કરે છે. આવા પ્રકારની ભક્તિભાવના સમ્યકત્વગુણના પ્રતાપે આ દેવો કરે છે. તે સમ્યકત્વગુણની હે જીવ! તું ભૂરિ ભૂરિ અનુમોદના કર, અનુમોદના કર. ./૧લી અચના પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રા સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે II
ચેતન ! જ્ઞાન અજુવાળીએ Il૨૦માં ગાથાર્થ - સમ્યગ્દષ્ટિ જીવો સિવાયના અન્ય જીવોમાં પણ જે દયા વગેરે ગુણો તથા જિનેશ્વર પરમાત્માના વચનને અનુસાર વર્તવાપણાના જે ગુણો છે તે સર્વે ગુણોની પણ ચિત્તથી અનુમોદના કર કે જે નક્કી સમ્યકત્વપ્રાપ્તિનું કારણ
છે. રવા - વિવેચન :- (૪૪) પાંચ પરમેષ્ઠી, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સમ્યગ્દષ્ટિ દેવ તથા મનુષ્યોના ગુણોની અનુમોદના સમજાવીને હવે મિથ્યાષ્ટિ જીવોમાં પણ જે લૌકિક ગુણો હોય છે. તથા મંદમિથ્યાત્વી, અપુનબંધક અને સમ્યકત્વાભિમુખ જીવોમાં જે જે ગુણો હોય છે. જેમકે દયા, અહિંસા, સત્ય, શીયળ, માનવતા, પરોપકારિતા ઈત્યાદિ ગુણો સહજભાવે તેમાં જે છે. તથા જે જે ગુણો જિનેશ્વર પરમાત્માના વચનને અનુસાર પ્રવર્તતા હોય તે તે ગુણોની હે જીવ ! તું અનુમોદના કર. અનુમોદના કર.