________________
૭૨
અમૃતવેલની સઝાય માનવતાના ગુણો હોય, દુઃખી જીવોને જોઈને દયા આવી જતી હોય, દુઃખીઓના દુઃખો દૂર કરવા માટે જે જીવ સતત પ્રયત્નશીલ હોય, હરિશ્ચંદ્ર રાજાની જેમ જીવનમાં સત્ય વણાઈ ચુકેલું હોય, ભર્તુહરિની જેમ અધ્યાત્મદશા ખીલી હોય, આવા પ્રકારના વિશિષ્ટ જે જે ગુણો જે જે જીવોમાં હોય તે તે ગુણો તે તે જીવનું કલ્યાણ કરનારા છે તથા કાલાન્તરે જેને મુનિમહાત્માઓનો યોગ થતાં ગુણીયલ જીવન હોવાથી જલ્દી જલ્દી જૈન બની જાય તેવા સાનુકૂળ સંજોગો જેઓમાં છે. દિશાસૂચકની જ માત્ર જરૂરીયાત છે. તેથી મિથ્યાષ્ટિ જીવોના પણ તેવા ગુણોની હે જીવ! તું અનુમોદના કર. - નિષ્કપટતા નમ્રતા સરળતા ગરીબોને ભોજનાદિ આપવાપણું, સ્કુલાદિમાં અને હોસ્પિટલ આદિ લોકભોગ્ય કાર્યોમાં દાનાદિ આપવાપણું આવા પ્રકારના અનેક ગુણો મિથ્યાષ્ટિ જીવોમાં પણ હોય છે. તે ગુણો કાલાન્તરે તે જીવોને સદગુરુનો યોગ મળતાં જ સમ્યકત્વાદિ લોકોત્તર ગુણોની પ્રાપ્તિનું અવશ્ય બીજ બને છે. માટે હે જીવ ! તું આવા પ્રકારના મિથ્યાદૃષ્ટિ જીવના ગુણોની પણ તેઓના મતની (પક્ષની) પુષ્ટિ ન થાય તે રીતે બહુ જ અનુમોદના કર. અનુમોદના કર.
તથા તે મિથ્યાદૃષ્ટિ જીવો જૈનધર્મ પામે, જૈનધર્મ પ્રત્યે