________________
૬૧
અમૃતવેલની સઝાય છે. કારણ કે તેઓએ જ આત્માના કલ્યાણને કરનારો આ ઉપદેશ સૌથી પ્રથમ બતાવ્યો છે. વીતરાગ છે, સર્વજ્ઞ છે. સૌથી શ્રેષ્ઠ પુણ્યવાળા છે. પરમ ઉપકાર કરનારા છે. આ પરમાત્માના ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. ll૧૬ો. સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે ! જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે !
ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૦II ગાથાર્થ - સિદ્ધ પરમાત્મામાં રહેલી જે સિદ્ધતા છે તે કર્મોના ક્ષયથી ઉત્પન્ન થઈ છે. તથા આચાર્ય મહારાજશ્રીનો જે ઉત્તમ આચારગુણ છે તે આચાર ચારિત્રરૂપી વનને સિંચવામાં મેઘ સમાન છે. તે બને મહાત્માઓની તું અનુમોદના કર. ૧૭.
વિવેચન :- (૩૯) જે આત્માઓ સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પદને પામ્યા છે. તે સિદ્ધભગવંતો કહેવાય છે. અનાદિ કાલથી સર્વે આત્માઓ મોહનીય આદિ આઠ પ્રકારના કર્મો સાથે લેવાયેલા છે. જેમ દૂધ અને પાણી એકમેક થાય અથવા લોઢુ અને અગ્નિ એકમેક થાય તેમ જીવ અને કર્મો એકમેક થયેલાં છે. રત્નત્રયીની સાધના-આરાધના કરવાથી આ સંસારી જીવ જ કર્મોનો ક્ષય કરીને મુક્તિપદ પ્રાપ્ત કરે