________________
પ૭
અમૃતવેલની સઝાય કોઈ મુસાફર આવે અને તે ભાતારૂપે જે આહાર લાવ્યા હોય તેમાંથી તે મુસાફર ભાવથી જે વહોરાવે તેનો જ આહાર કરતા. પરંતુ મોટા અરણ્યમાં કોઈ મુસાફરી ક્યારે આવે ? તેની મુનિને શું ખબર પડે? અને મુસાફરને પણ અહીં આવા તપસ્વી મહામુનિ છે તેમને આહાર આપીને હું ભોજન કરું એવો ખ્યાલ ક્યાંથી આવે? આવા પ્રસંગમાં ત્યાં એક મૃગ (હરણ) હતું. તે આ મુનિના ત્યાગ, તપ અને સંયમથી પ્રભાવિત થયું હતું. તે સંપૂર્ણ ધ્યાન રાખતું. કોઈ મુસાફર આ અરણ્યમાં આવ્યા હોય તો મુનિ પાસે જઈને ઉભું રહેતું અને પગથી ભૂમિખનન કરતું. તે સંકેતથી મુનિ ધ્યાનાવસ્થા પાળીને આહાર માટે તેની પાછળ પાછળ જતા. આ રીતે મુનિ તપ કરતા હતા. - એક કાલે કોઈ મુસાફર ત્યાં આવ્યા. તે જોઈ હરણ મુનિને સંકેતથી જ્યાં મુસાફર છે ત્યાં લાવે છે. મુનિ આહાર વહોરે છે. મુસાફર ઘણા જ ભાવથી “અરણ્યમાં મને અન્નદાનનો પરમ લાભ મળ્યો” એમ સમજીને આહાર વહોરાવે છે. આ બન્નેની આહારના દાનની અને ગ્રહણની પ્રક્રિયા જોઈ હરણ ઘણી ઘણી અનુમોદના-પ્રશંસા કરે છે. તે કાલે જ આ વૃક્ષની મોટી શાખા પવનાદિના કારણે નીચે પડી અને આ ત્રણે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામીને ત્રણે દેવલોકમાં ગયા. આ રીતે સુકૃતની અનુમોદના પણ સ્વર્ગ