________________
૫૮
અમૃતવેલની સજ્ઝાય
અને અપવર્ગનું કારણ બને છે. માટે હે જીવ ! ભૂતકાલમાં તેં જે જે સુકૃતો કર્યાં હોય તેની અનુમોદના કર તથા અન્ય આત્માઓ જે જે સુકૃત કરતા હોય તેને જોઈ જોઈને તેની પણ તું અનુમોદના કર.
જે અનુમોદનાથી ઘણાં ઘણાં કર્મોનો નાશ થાય છે, પૂજ્યશ્રી વીરવિજયજી મ.સા.ની બનાવેલી અંતરાયકર્મ નિવારણની પૂજામાં કહ્યું છે કે “કરણ કરાવણ ને અનુમોદન સરખાં ફળ નીપજાવ્યાં” માટે તું સુકૃતની અનુમોદના કરવાવાળો થા. ॥૧॥
વિશ્વ ઉપકાર જે કરે, સાર જિન નામ સંયોગ રે । તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ II૧૬ના
ગાથાર્થ :- શ્રેષ્ઠ એવા જિનનામકર્મના ઉદયને કારણે જિનેશ્વર ભગવંતો આ સમસ્ત વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે તે તેઓશ્રીનો ગુણ છે. તેની હે જીવ ! તું અનુમોદના કર. તથા જે જિનનામનો બંધ છે. તે પુણ્યનો અનુબંધ છે અને વિશ્વનો ઉપકાર કરવો તે શુભયોગ છે. ૧૬॥
વિવેચન :- (૩૮) પંચ પરમેષ્ઠિ આ જગતમાં વિશેષે કરીને ગુણોવાળી છે, પૂજનીય છે અને ઉત્તમ કાર્યોને કરનારી છે. તેથી પ્રથમ તે પંચ પરમેષ્ઠિના સુકૃતની અનુમોદના કરીએ.