SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અમૃતવેલની સઝાય આવાં પાપસ્થાનકો હે જીવ! તું તારા જીવનમાંથી દૂર કર, છોડી દે, આલોચના કર. (૩) મિથ્યાત્વશલ્ય - વસ્તુતત્ત્વની વિપરીત રૂચિ તે મિથ્યાત્વ. જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેનાથી વિપરીતપણે સ્વીકારવી તે મિથ્યાત્વ. હેયને ઉપાદેય માનવું અને ઉપાદેયને હેય માનવું, કલ્યાણકારીને અકલ્યાણકારી સમજવું અને અકલ્યાણકારીને કલ્યાણકારી સમજવું, હોમ, હવન, પશુહોમ દ્વારા કરાતા યજ્ઞાદિને સ્વર્ગ અને મોક્ષનાં કારણ માનવાં, રત્નત્રયીની સાધનાને ન સ્વીકારવી તે મિથ્યાત્વ. સુદેવ, સુગુરુ અને સુધર્મને ન માનવા અને કુદેવ, કુગુરુ અને કુધર્મને જ સાચા દેવ-ગુરુ-ધર્મ માનવા તે મિથ્યાત્વ. હોળી, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, નાગપંચમી ઈત્યાદિ પર્વોને માનવ તે મિથ્યાત્વ. આવા પ્રકારની અવળી અવળી ચેષ્ટાથી આ જીવ સમયે સમયે કર્મો બાંધે છે. અનંત પુણ્યાઈ ભેગી થાય ત્યારે જ આવું જૈનશાસન મળે છે કે જે સંપૂર્ણ સત્ય છે. તેથી હે જીવ! આવાં પાપસ્થાનકોનો તું ત્યાગ કર. જે કંઈ પાપકર્મો ભૂતકાળમાં કર્યા છે તેની નિંદા ગહ કરીને આલોચના કર, પ્રાયશ્ચિત્ત કર અને તારા પોતાના આત્માને શુદ્ધ કર. આ અવસર ફરી ફરીને આવશે નહીં. માટે કંઈક સમજ. અઢારે પાપસ્થાનકો દુષ્કૃત્ય છે. તેની નિંદા-ગહ કર. પાપોનું પ્રક્ષાલન કર. અમૃતના વેલડી જેવી આ હિતશિક્ષા તું સ્વીકાર. ૧૪
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy