________________
અમૃતવેલની સઝાય
૨૫ ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ ઃ ગુરુજી દ્વારા બોધ પામીને મોક્ષે
જાય છે. જેમકે ગૌતમસ્વામી આદિ. ૧૪. એકસિદ્ધઃ એકલા પોતે જ મોક્ષે જાય તે - જેમકે
મહાવીર સ્વામી. ૧૫. અનેકસિદ્ધ : અનેકની સાથે મોક્ષે જાય તે - જેમકે
ઋષભદેવ પ્રભુ.
આમ સિદ્ધ ભગવંતોનું શરણ હોજો. હે જીવ! આવા સિદ્ધ પરમાત્માનું તું શરણ સ્વીકાર કર. દા સાધુનું શરીર ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે ! મૂલ ઉત્તરગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિર્ચન્થ રે |
ચેતન ! જ્ઞાન અજુવાળીએ બા ગાથાર્થ :- ત્રીજું સાધુ મહાત્માનું શરણ હોજો કે જેઓ મુક્તિમાર્ગ સાધે છે. મૂલગુણોથી અને ઉત્તરગુણોથી જે શોભે છે તથા ભાવથી નિર્ગસ્થ થઈને ભવસાગર તર્યા છે. અને તરે છે. છા - વિવેચન - અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પછી હવે ત્રીજું શરણ સાધુમહાત્મા પુરુષનું આવે છે. અહીં સાધુપદમાં આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એમ ત્રણે સમજી લેવા. કારણ કે આ ત્રણે સાધુપણામાં છે અને સાધુથી