SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જ |* ૫. ૬. ૭. ૮. અમૃતવેલની સજ્ઝાય અતીર્થસિદ્ધ : તીર્થની સ્થાપના થયા પહેલાં મોક્ષે જાય તે - જેમકે મરૂદેવામાતા. ૯. સ્ત્રીલિંગસિદ્ધ ઃ સ્ત્રીઆકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ચંદનબાલા. પુલ્લિંગસિદ્ધ : પુરુષ આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે સુધર્માસ્વામી. ઃ નપુંસકલિંગસિદ્ધ : નપુંસક આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ગાંગેય ઋષિ. સ્વલિંગસિદ્ધ : જૈનીય સાધુવેશમાં મોક્ષે જાય તે જેમકે ગૌતમસ્વામી. - ગૃહસ્થલિંગસિદ્ધ ઃ ગૃહસ્થના વેશમાં મોક્ષે જાય તે જેમકે ભરત મહારાજા. કેવલજ્ઞાન પામ્યા, તે મોક્ષે ગયા કહેવાય. ૧૦. અન્યલિંગસિદ્ધ : અન્યના વેશમાં મોક્ષે જાય તે જેમકે વલ્કલચિરિ. - ૧૧. સ્વયંબુદ્ધસિદ્ધ : પોતાની મેળે બોધ પામીને મોક્ષ જાય તે - જેમકે તીર્થંકર ભગવંતો. ૧૨. પ્રત્યેકબુદ્ધસિદ્ધ : કોઈ બાહ્યનિમિત્ત પામીને મોક્ષે જાય તે. જેમકે કરકંઠુમુનિ.
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy