________________
૧૦
અમૃતવેલની સઝાય બોલાયેલું જુઠું વચન જો ખુલ્લું થઈ જશે તો મારું શું થશે? આ ચિંતા જીવને સતાવે છે. બોલાયેલા એક જુઠને સાચવવા અનેક જુઠાં વચનો ગોઠવી-ગોઠવીને બોલવાં પડે છે અને કોઈ સમર્થ માણસ ક્રોસ કરે તો પકડાઈ પણ જવાય છે. જેનાથી લાચારી, ઈજ્જતહાનિ અને ભયાદિ જ પ્રાપ્ત થાય છે. તો શા માટે જુઠું બોલવું ? કંઈક અલ્પ સ્વાર્થ સાચવવા જતાં અનેકગણો ભાવિમાં અનર્થ આવે, તેનું શું? પ્રાપ્ત થયેલો આ માનવભવ આમને આમ હારી જવાય તેનું શું? ઝાડની ડાળી ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા ચિંતામણિરત્નનો પ્રક્ષેપ કેમ કરાય? ચિંતામણિ જેવું રત્ન શું પત્થરનું જ કામ કરવા માટે મળ્યો છે? તેમ દશ દષ્ટાન્ત દુર્લભ એવો આ માનવભવ ઘણો જ કિંમતી છે. મૃષાવચન બોલવું એ સજ્જનને શોભા આપતું નથી. નાનું નાનું જુઠું બોલવાની ટેવ ધીરે ધીરે મોટું જુઠાણું બોલવાનું શીખવાડે છે. કાલાન્તરે આ જીવ જુઠ-ચોરી ઈત્યાદિ દુર્ગુણોવાળો જ બને છે. માટે હે જીવ ! જો તારે ભવ સુધારવો હોય તો જુઠું બોલવાનું છોડી દે. (૧૦) સમ્યક્ત્વ રૂપી રનની સાથે પ્રીતિ કર, પણ (૧૧) મિથ્યામતિ રૂપી કાચની સાથેની પ્રીતિ ત્યજી દે.
જીવને પ્રાપ્ત થયેલી મતિ-બુદ્ધિ અર્થાત્ દૃષ્ટિ સમ્યકત્વ રૂપી રત્ન સાથે જોડ પણ મિથ્યાત્વરૂપી કાચ સાથે જે