________________
અમૃતવેલની સઝાય પરાક્રમીનાં માન સદા રહ્યાં નથી. તો આપણે શું હિસાબમાં છીએ ? આવા વિચાર કર. શાસ્ત્રમાં કહ્યું છે કે –
માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે! દુર્યોધન ગર્વે કરી, તે તો સની હાર્યો રે II
'રે જીવ! માન ન કીજીએ તથા ગુણી આત્માઓને માન આપવાથી આપણામાં વિનયગુણ પ્રગટે, વિનયથી વિદ્યા વસે, વિદ્યાની પ્રાપ્તિથી વિવેક આવે અને વિવેકબુદ્ધિ આવવાથી હેયોપાદેયનું ભાન થતાં આત્મા કલ્યાણના માર્ગે વિકાસ પામે. મેરા ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીચે વચણ મુખ સાચા સમકિત રત્ન રૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે
ચેતન ! જ્ઞાન અજુવાળીએ ફા ગાથાર્થ - ક્રોધનો અનુબંધ રાખવો નહીં એટલે કે (ક્રોધની ગાઢતા-તીવ્રતા-ચીકાસ રાખવી નહી) મુખે સત્યવચન બોલવું. સમ્યકત્વ રૂપી રત્નની સાથે પ્રીતિ જોડવી અને કુબુદ્ધિ રૂપી કાચની સાથે જોડાયેલી મતિને છોડી દેવી. II
વિવેચન :- પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી કષાયોને પરવશ થયેલા સંસારી આ જીવને વધારે વધારે હિતશિક્ષા આપતાં કહે છે કે –