________________
અમૃતવેલની સઝાય વચનો બોલવાં તે જેમ તેઓનો સ્વભાવ છે તેમ તેને ખમી ખાવા તે હે જીવ ! તારો સ્વભાવ છે. કુહાડાનો સ્વભાવ જેમ છેદવાનો છે તેમ ચંદનનો સ્વભાવ તે કુહાડાને પણ શીતળતા જ આપવાનો છે. વળી શબ્દ એ ભાષાવર્ગણાના પુગલો છે તે આત્માના શુદ્ધસ્વરૂપને જરા પણ બગાડનારા નથી, પણ શબ્દો સાંભળીને કરાયેલા કષાયો આત્મતત્ત્વના સ્વરૂપની પ્રાપ્તિના પ્રતિબંધક છે. એક વડુ (ભજીયું) પણ તેલમાં કેટલુંય ઉકળે છે ત્યારે વડુ બને છે. તો સહનશીલતા વિના વડાપણુ (મહાનપદની પ્રાપ્તિ) કેમ થાય ? તેથી હે જીવ ! હલકા માણસો જેમ તેના હલકા સ્વભાવમાં વર્તે, તેમ હે જીવ ! તારે તારા ઉત્તમ સ્વભાવમાં વર્તવું તે જ સાચો ધર્મ છે. કહ્યું છે કે વધુ સદાવો થપ્પો, પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવમાં વર્તે તે જ તેનો સાચો ધર્મ છે.
(૭) સજ્જન આત્માઓને માન આપવું - હે જીવ! જે જે પુરુષો પ્રકૃતિએ સજ્જન હોય, ગુણીયલ પુરુષો હોય, પરોપકારી હોય, ભદ્રિકસ્વભાવ વાળા હોય, ક્ષમાશીલ અને નમ્રતાયુક્ત હોય. આવા પ્રકારના ગુણી આત્માઓને સદા માન આપવું. કારણ કે ગુણવત્તાના કારણે તે આત્માઓ આપણાથી ઘણા મહાન છે. વળી બીજાને માન આપીએ તે જ આપણી શોભા છે. “નમ્યા તે સૌને ગમ્યા” એ કહેવતને જીવનમાં આત્મસાત્ કરવી. રાજા રાવણ જેવા