SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) શ્રાવક : પાપોથી ડરપોક સાતમા વ્રતમાં જેમ ૩૨ અનંતકાય તથા ૨૨ અભક્ષ્યોનો ત્યાગ કરવાનો છે તેમ ભક્ષ્ય ચીજોમાં પણ જરૂર વિનાની વધારાની વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે. જે જે ભઠ્યચીજો વાપરવી જરૂરી જણાતી હોય કે છોડવાનું સત્ત્વન હોય. તે તે ધાન્ય, કઠોળ, શાકભાજી, મેવા - મસાલા, ફળ વગેરેની છૂટ રાખીને બાકીના બધાનો ત્યાગ કરવા, નીચેનો નિયમ લેવો જોઈએ. પ્રતિજ્ઞા : (A) પૂર્વે જણાવેલી જયણાપૂર્વક રર અભક્યો તથા ૩૨ અનંતકાયનો ત્યાગ કરું છું. (B) ભઠ્ય ચીજોમાં પણ નીચે જણાવ્યા સિવાયના ધાન્ય - કઠોળ - શાકભાજી - મેવા - મસાલા - ફળ વગેરેનો ત્યાગ કરું છું એટલે કે નીચે જેના નામ હું લખું, તેનો ઉપયોગ કરવાની છૂટ રાખું છું, તે સિવાયની બધી ભક્ષ્ય ચીજોનો ત્યાગ કરું છું. (ખાલી જગ્યામાં જાતે નામો લખવા.) ધાન્ય:. કઠોળ :. શાકભાજી :ફળ : મેવા:– મસાલા, (C) નીચે જણાવેલા કર્માદાનોનો પણ ત્યાગ કરું છું. સાતમા ભોગોપભોગ પરિમાણવ્રતમાં જેમ ખાવા - પીવા – પહેરવા - ઓઢવાની વસ્તુઓનું પરિમાણ (માપ) નક્કી કરવાનું છે, તેમ પંદર પ્રકારના કર્માદાનના ધંધાઓના ત્યાગનો પ્રયત્ન પણ કરવાનો છે. કર્મ = પાપકર્મોનું, આદાન = ગ્રહણ થવું. જે ધંધાઓ વડે ઘણા બધા પાપકર્મો બંધાતા હોય તે ધંધાઓને કમદાનના ધંધાઓ કહેવાય છે. કોઈ પણ પ્રકારનો ધંધો કરવામાં પાપકર્મો તો બંધાયા જ કરે છે. સંસારની કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જેનાથી પાપકર્મો ન બંધાય. તેથી હકીકતમાં તો સંસારની કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહિ. સંસાર ત્યાગીને સાધુ જ બનવું જોઈએ. પણ, જેઓ માનવજીવન પામવા છતાં ય ગમે તે કારણસર સાધુ બની શકવાની જ ૬૯ , વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ- ૨ -
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy