SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિમાં નથી, તેમણે સંસારની આજીવીકા ચલાવવા પૈસાની જરુર તો પડશે જ. તે માટે તેને ધંધો પણ કરવો પડે. પણ, તે શ્રાવક વિચારતો હોય કે હું સાધુ બની શકતો નથી અને સંસારમાં મારે રહેવું પડે છે, તેનો અર્થ એવો નથી કે મને બધા પાપો કરવાની રજા મળી ગઈ ! ‘સાધુથી કોઈ પાપ ન કરાય; પણ સંસારીઓ તો બધા જ પાપો કરી શકે તેમને કોઈ વાંધો નહિ !' ના, આ વાત બરોબર નથી. હું સાધુ નથી બની શક્યો તે મારી કમનસીબી છે. હવે મારે જ્યારે સંસારમાં રહેવું જ પડ્યું છે, ત્યારે તેની આજીવિકા ચલાવવા હવે હું એવો જ ધંધો કરું કે જેનાથી ઓછામાં ઓછા પાપકર્મો બંધાય. આવી વિચારણા ધરાવતો શ્રાવક દિવસનો શક્યતઃ વધારે સમય ધર્મધ્યાન પાછળ પસાર કરતો હોય. અનિવાર્યપણે જે સમય તેણે સંસાર માટે ફાળવવો પડતો હોય તેટલો સમય તે સંસારની જવાબદારીઓ અદા કરે; પણ તે ય દુ:ખાતા દીલે. કર્યા વિના છૂટકો નથી માટે. ક્યારે આનાથી પણ છૂટું તેવી ભાવના ભાવવા સાથે. આવો આ શ્રાવક પોતાના ધંધાની પસંદગી કરતી વખતે, જે ધંધાઓ કરવામાં પુષ્કળ પ્રમાણમાં અશુભકર્મો આત્મામાં પ્રવેશી શકે છે, તેવા કર્માદાનના ધંધાઓની પસંદગી તો ન જ કરે. બાપદાદાઓ દ્વારા વારસામાં મળેલા તેવા ધંધાઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે. તે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે. પાપો પ્રત્યેની તેની . સૂગ તેને આવા પાપી ધંધાઓ કરવામાં રસ પેદા થવા દે નહિ. શાસ્ત્રોમાં કર્માદાનના આવા પંદર પ્રકારના ધંધાઓ બતાડવામાં આવ્યા છે. ભોગ – ઉપભોગની સામગ્રીઓ પ્રાપ્ત કરવા માટે જરુરી પૈસા મેળવવા આવા વિશેષ આરંભ – સમારંભવાળા ધંધાઓ થઈ શકે નહિ. (૧) ઈગાલકર્મ : ભઠ્ઠીના મુખ્ય ઉપયોગવાળા ધંધાઓ : લુહાર, સોની, ભાડભુંજો, કુંભાર, ભઠ્ઠીઓ, સાબુ, ચુનો, લાકડાનું દહન, ક્ષાર, ભસ્મો માટેની ભઠ્ઠીઓ વગેરે કર્મો અને વ્યાપારોનો ઈંગાલકર્મમાં સમાવેશ થાય. (૨) વનકર્મ : જે ધંધાઓમાં વનસ્પતિઓના વિશેષ પ્રકારે છેદન – ભેદન કરવા પડતાં હોય તેમનો સમાવેશ આ વનકર્મમાં થાય. જંગલો કાપવા, ઘાસના બીડ રાખવા, લીલોતરી વેચવી, અનાજ ભરાવવું વગેરે. (૩) શકટકર્મ : શકટ એટલે ગાડા. તેનાથી તમામ વાહનો સમજવા. ગાડા, સાયકલ, રીક્ષા, સ્કુટર, મોટર સાયકલ, ગાડી, ટ્રક, ટ્રેઈન વગેરે વાહનો કે તેના કોઈ ભાગો બનાવવાના કારખાના વગેરે દ્વારા પોતાની આજીવીકા ચલાવવી. આ બધું બનાવતી વખતે તો પુષ્કળ હિંસા છે જ, પણ તેનો ઉપયોગ જ્યાં સુધી થશે ત્યાં સુધી વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ૭૦
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy