________________
ત્રસકાય : અમુક સંખ્યામાં નોકર – ચાકરો વગેરેનો નિયમ કરાય છે. શક્યતઃ જયણા રાખવાનાં આવે છે,
•
(૬) અસિ : ચપ્પુ, કાતર, સુડી, સોય, નીલકટર, તલવાર, છરી, કંપાસના સાધનો વગેરે શસ્રોનો નામ – વિભાગ – સંખ્યા પૂર્વક - નિયમ કરીને બાકીનાનો ત્યાગ
-
કરવાનો છે.
(૭) મસિ : પેન, પેન્સીલ, કલમ, હોલ્ડર, ખડીયા વગેરે લખવાના સાધનોની સંખ્યાનો નિયમ કરીને બીજાનો ત્યાગ કરવાનો છે.
(૮) કૃષિ : ખેતી કરવા માટેના હળ, કોશ, કોદાળી વગેરે સામગ્રીનો નિયમ કરવાનો છે.
આ ચૌદ નિયમો રોજ સવારે ધારવા. સાંજે ચેક કરવા. ફરી રાત્રી માટે તે નિયમો યથાયોગ્ય ફેરફાર કરીને ધારવા. સવારે ચેક કરવા. આ રીતે કરવાથી ઘણા પાપોમાંથી બચી જવાય છે.
વળી, ધારેલી સંખ્યા કે પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો કરવાનું પણ લક્ષ રાખવું. તેમ કરવાથી લેશ્યા તુટે છે. સંજ્ઞા નબળી પડે છે. સંતોષગુણ પેદા થાય છે. અધ્યવસાયો નિર્મળ બને છે.
ઉપર જણાવેલા નિયમો લીધા પછી તરત દેસાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું જોઈએ. તે આ પ્રમાણે : “દેસાવગાસિ ઉપભોગં પિરભોગં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં મહત્તરાગારેણં સન્ સમાહિવત્તિયાગારેણ વોસિરઈ (વોસિરામિ)”
૧૫ કર્મભૂમિ અને ૧૪ રાજલોકમાં જેના જેવું બીજું કોઈ તીર્થ નથી તે શાશ્વત ગિરિરાજ સિદ્ધાચલજીનો મહિમા તથાં તેની જુદી જુદી દેરીઓના ઈતિહાસને જાણવા અને ઘેર બેઠાં સિદ્ધાચલજીની ભાવયાત્રા કરવા
ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ રે પુસ્તિકા વાંચો - વંચાવો તથા પ્રભાવના કરો.
૬૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨