SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાથી આ અથાણાઓ ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. તેમાં બેઈન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થાય છે. જેમાં પાકી ચાસણી કરવામાં આવે છે, તેવા અથાણાને પણ લેતા - મૂકતા વિવેક ન રાખવામાં આવે તો ભીનો હાથ અડતા કે ભેજ લાગતા તેમાં ફુગ વળવાની શક્યતા છે. ફુગ વળ્યા પછી તે અભક્ષ્ય ગણાય છે. બોળ અથાણાં અંગેની વિશેષ માહિતી શ્રાવક જન તો તેને રે કહીએ ભાગ - ૨ માંથી વાંચવી. (૧૮) વિદળ : એકપણ વાર ગરમ કર્યા વિનાના દૂધ, દહીં કે છાશ સાથે વાસણમાં, હાથમાં કે મુખમાં પણ કઠોળ, ભેગું થાય તો તરત જ તેમાં અસંખ્યાતા બેઈન્ડિયાદિ ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય છે. તે વિદળ કહેવાય છે. આવા અસંખ્યાતા જીવોનો સંહાર ન થવા દેવા વિદળનો ત્યાગ કરી દેવો જોઈએ. (૧૯) રીંગણા રીંગણા કામોદ્દીપક તથા નિદ્રાવર્ધક છે. તામસીભાવ પેદા કરે છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. (ર૦) અજાણ્યા ફળઃ ભોજન કરનાર કે કરાવનાર, એ બે માંથી કોઈપણ વ્યકિત જે ફળ, ફુલ, પાંદડા, મૂળ વગેરેના નામ, જાતિ, ગુણ, દોષ વગેરેને જો જાણતી ન હોય તો તેવા અજાણ્યા ફુલ - ફળાદિ અભક્ષ્ય છે. ક્યારેક તેવા અજાણ્યા ફળ – કુલાદિ ઝેરી હોવાથી મોત લાવી દે છે. તેથી તે અભક્ષ્ય છે. તે વાપરતા લીધેલો નિયમ પણ ક્યારેક તુટી જાય છે. જેમ અજાણ્યા ફલાદિ ન ખવાય તેમ મીઠાઈ વગેરે પણ જે અન્ય દેશમાં બનેલ હોય, તેને બનાવવાની રીત કે તેમાં શું શું વસ્તુ નાંખવામાં આવી છે, તે જાણતા ન હોઈએ તો તે ચીજો પણ અભક્ષ્ય સમજીને વાપરવી નહિ. (૨૧) તુચ્છ ફળઃ તુચ્છ એટલે અસાર, સત્વહીન. જે ફળો ખાવા છતાં પેટ ભરાતું ન હોય, તૃપ્તિ થતી ન હોય તે તુચ્છફળ કહેવાય. આવા ફળોમાં ખાવાનું ઓછું હોય છે. ફેંકી દેવાનું ઘણું હોય છે. અરણી, કેરડો, સરગવો, મહુડો વગેરે ઝાડોના ફૂલો, મહૂડા, જાંબુ, ટીંબરું, પીલુડાં, પાકા કરમદાં, ગુંદા, પીંચુ ફળ, વડબોર, વગેરે ફળો તુચ્છ છે. તે ન વાપરવા જોઈએ. (૨૨) ચલિત રસઃ જેનો રસ ચલિત = બદલાઈ ગયો હોય, બગડી ગયો હોય તે વસ્તુઓ ચલિતરસ કહેવાય. તે અભક્ષ્ય છે. મીઠાઈ, ખાખરા, લોટ વગેરે ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ પછી ચલિત રસ થવાથી અભક્ષ્ય બને છે. ક્યારેક તે પહેલા પણ જો તેનો સ્વાદ બગડી જાય તો અભક્ષ્ય થયા સમજવા. ૪૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy