________________
તેથી લાઈટના પ્રકાશમાં પણ રાત્રે ન ખવાય.
માત્ર જૈન ધર્મ જ નહિ, અન્ય ધર્મોએ પણ પોતાના શાસ્ત્રોમાં રાત્રિભોજનનો નિષેધ કરેલ છે. અરે! તેમણે તો રાત્રિભોજનને નરકનો નેશનલ હાઈવે કહ્યો છે. રાત્રે ખાવું તે માંસ ખાવા બરોબર અને રાત્રે પાણી પીવું તે લોહી પીવા બરોબર કહ્યું છે.
ખરેખર તો સૂર્યાસ્તની બે ઘડી પૂર્વે જ ખાવા-પીવાનો ત્યાગ કરવો જોઈએ. સવારે સૂર્ય ઉગ્યા પછી બે ઘડી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ત્યાગ ચાલુ રાખવો જોઈએ.
પૂજ્યપાદ ન્યાયવિશારદ, મહોપાધ્યાયજી યશોવિજયજી મ. સાહેબ સ્વકૃત "નિશાભક્તિ સ્વરુપતો દુષિતત્વવિચાર” પ્રકરણમાં જણાવે છે કે, “રાત્રિભોજન કરવામાં દેખિતી રીતે હિંસા થતી હોય કે ક્યારેક ન પણ થતી હોય તોય રાત્રે લાઈટ વગેરેના પ્રકાશમાં, જોઈને પણ ભોજન કરવા ઈચ્છો તો ય, ફળ – મેવા - મીઠાઈ વગેરે અસંસત પદાર્થો ખાવ તો ય, ઉડતા જીવો અંદર ન પડે તેની કાળજી રાખો તો ય, ટૂંકમાં કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેની બધી રીતે કાળજી લો તો ય રાત્રે તો ન જ ખવાય.
જેમ હિંસાદિ પાપો પોતાની રીતે દુષ્ટ છે, તેમ રાત્રિભોજન પણ પોતે સ્વરૂપથી જ દુષ્ટ છે. તેથી કોઈપણ કારણે રાત્રિભોજન તો ન જ કરવું જોઈએ.”
(૧૫) બહુબીજઃ જેમાં વચ્ચે પડ વિના પરસ્પર અડેલા ઘણા બધા બીજ હોય તેવા પંપોટા, રીંગણા, ખસખસ, અંજીર વગેરે બહુબીજ અભક્ષ્ય છે. તેમાં પુષ્કળ બીજોનો (બીજના જીવોનો) નાશ થતો હોવાથી તે ખવાય નહિ. દાડમ, સીતાફળ, ટામેટા, કેળા, પપૈયું - શક્કરટેટી વગેરેમાં તો બીજ વચ્ચે પડ હોવાથી, તેમનો બહુબીજ નામના અભક્ષ્યમાં સમાવેશ થતો નથી.
(૧૬) અનંતકાય : અનંતાજીવો જેમાં રહ્યા હોય તે અનંતકાય કહેવાય. બટાકા, કાંદા, ડુંગળી, ગાજર, શક્કરીયા, આદુ, મૂલા, બીટ, સુરણ વગેરે અનંતકાય છે. આપણું પેટ કાંઈ કબ્રસ્તાન નથી કે તેમાં અનંતાજીવોનો કચ્ચરઘાણ બોલાવાય. સમજુ માણસે અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે,
"यस्मिन् गृहे सदान्नार्थं कन्दमूलानि पच्यन्ते । स्मशानतुल्यं तद् वेश्म, पितृभिः परिवर्जितम् ॥
જેના ઘરમાં ખાવા માટે કંદમૂળ રંધાય છે, તેનું ઘર સ્મશાન જેવું છે. પિતૃઓ પણ તે ઘરને ત્યજી દે છે.
(૧૭) બોબ અથાણું અનેક ત્રસજીવોની ઉત્પત્તિમાં જે કારણ બને છે, તેવા લીંબુ, મરચાં, ગુંદા, કાકડી વગેરેના અથાણાનો ત્યાગ કરવો જોઈએ. ભેજવાળા કે
૪૭ હું વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨