________________
છે, માટે વ્રતભંગ છે. આમ ભંગાભંગ રૂપ હોવાથી બીજા પાસે તે વસ્તુ મંગાવે તો અતિચાર લાગે.
પરન્તુ જો વ્રત લેતી વખતે જ તેણે એ પ્રમાણે વ્રત લીધું હોય કે, “મારે પોતે અમુક મર્યાદાથી વધારે દૂર જવું નહિ” તો તે વ્યક્તિ બીજાને તે મર્યાદાની બહાર મોકલે તો પણ તેને આ અતિચાર લાગતો નથી કારણકે બીજાને મર્યાદાબહાર ન મોકલવા, તેવો તેનો નિયમ નથી.
(૫) ક્ષેત્રવૃદ્ધિઃ- પોતે જુદી જુદી દિશામાં જે મર્યાદા નક્કી કરી હોય તેમાંથી એક દિશાની મર્યાદા ઘટાડીને, તેટલા કિલોમીટર બીજી દિશામાં નિયત કરેલા કિલોમીટરમાં ઉમેરીને મર્યાદા વધારવી તે પાંચમો અતિચાર છે. ધારો કે પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૧૦૦ - ૧૦૦ કિલોમીટરથી વધારે દૂર જવું નહિ, તેવું વ્રત લીધું છે. પછી કોઈ કારણવશાત્ પૂર્વ દિશામાં ૧૫૦ કિલોમીટર જવાની પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે જો તે વ્રતધરશ્રાવક એમ વિચારે કે,
“તો બે બાજુ ૧૦૦ - ૧૦૦ કિલોમીટર મળીને પૂર્વથી પશ્ચિમ સુધી કુલ ૨૦૦ કિલોમીટરનું ક્ષેત્ર નક્કી કર્યું છે ને? તેથી હવે પશ્ચિમ દિશામાં ૧૦૦- ૫૦= ૫૦ કિલોમીટરથી વધારે નહિ જાઉં અને પૂર્વદિશામાં ૧૦૦ + ૫૦ = ૧૫૦ કિલોમીટરથી વધારે નહિ જાઉં. આમ કરવાથી પણ પૂર્વના ૧૫૦ + પશ્ચિમના ૫૦ મળીને પૂર્વપશ્ચિમ ક્ષેત્ર તો ૨૦૦ કિલોમીટરનું જ રહે છે ને? વધારો ક્યાં થાય છે? મારો નિયમ તો સચવાઈ જ જાય છે, માટે પૂર્વદિશામાં આ અપેક્ષાએ ૧૫૦ કિલોમીટર જવામાં વાંધો નથી.” આવો વિચાર કરીને તે પૂર્વદિશામાં ૧૫૦ કિલોમીટર જાય તો તેને આ અતિચાર લાગે છે.
પૂર્વદિશાના નિયત કરેલાં ૧૦૦ કિલોમીટર કરતાં બહાર (૧૫૦ કિલોમીટર સુધી) જાય છે, માટે વસ્તુતઃ તો વ્રતનો ભંગ છે, પણ બે ય દિશાની મર્યાદાનો સરવાળો કરીને વ્રતની સાપેક્ષતા સાચવે છે, એ અપેક્ષાએ વ્રતનો અભંગ પણ હોવાથી ભંગાભંગ રૂપ અતિચાર ગણાય છે.
જો કે તીર્થયાત્રાદિ નિમિત્તે ઈર્યાસમિતિ આદિના પાલનપૂર્વક મર્યાદિત કરેલી ભૂમિથી અધિક દૂર પણ જઈ શકાય છે, કારણકે વ્રતમાં ધન-ધાન્યાદિ મેળવવા વગેરે સાંસારિક કાર્યો માટે અધિકભૂમિ ન જવાનો નિયમ હોય છે.
આ પાંચમાંથી કોઈપણ અતિચાર ન લાગી જાય તેની કાળજી લેવી જોઈએ.
છેજો
જ
૩૩ છે વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨