SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અને હાલ પોતે શું કરી રહ્યો છે? તેનો ઉપયોગ (સ્મરણ / ખ્યાલ) જ ન રહે તો તે આરાધના વિશિષ્ટ ફળદાયક શી રીતે બને? (૨) ઉર્ધ્વદિશિમર્યાદા - ઉલ્લંઘન - ઉપરની દિશામાં ગમનનું જે પરિમાણ (માપ) નક્કી કર્યું હોય, તે માપથી વધારે દૂર વિશિષ્ટ સંયોગમાં જવું પડ્યું હોય ત્યારે આ અતિચાર લાગે. પર્વત, ઝાડ, અમુક માળ સુધી કે આકાશમાં વિમાનમાં અમુક કિલોમીટર સુધી ઉપર જવાનું નક્કી કર્યું હોય તો તેનાથી વધારે દૂર જવું જોઈએ નહિ. છતાં અનાભોગથી કે અતિક્રમાદિથી નક્કી કરેલી મર્યાદાની બહાર ચાલી જવાનું થાય તો આ અતિચાર લાગે. પણ જો જાણી જોઈને મર્યાદાનું ઉલ્લંઘન કરે તો વ્રતભંગ જ થાય. (૩) અધોદિશામર્યાદા ઉલ્લંઘન :- નીચાણવાળા ગામ, ભોયરા, ભૂમિની અંદર રહેલાં ઘરો, કુવા, વાવડી, નદી - તળાવ, સમુદ્ર, ખાણ, વગેરેમાં નીચે અમુક ઊંડાઈથી વધારે નહિ જાઉં, તેવું વ્રત લેનાર જો અનાભોગ કે અતિક્રમાદિના કારણે તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધારે નીચે જાય તો આ અતિચાર લાગે. જાણી જોઈને જાય તો વ્રતભંગ થાય. (૪) તિર્યમ્ દિશા મર્યાદા ઉલ્લંઘનઃ- ઉત્તર - દક્ષિણ પૂર્વ - પશ્ચિમ દિશામાં ઉપયોગિતા પ્રમાણેની ભૂમિમાં ગમનાગમનની મર્યાદા નક્કી કરી હોય કે અમુક કિલોમીટરથી વધારે દૂર નહિ જાઉં, પછી અનાભોગ કે અતિક્રમાદિથી તે મર્યાદાનું જો ઉલ્લંઘન થઈ જાય, નક્કી કરેલી મર્યાદાની બહાર જવાય તો આ અતિચાર લાગે. પણ જો જાણી જોઈને તે મર્યાદાની બહાર જાય તો વ્રતનો ભંગ થાય. પણ ધારો કે વાંદરો, કે કોઈ પક્ષી પોતાના કપડાં, દાગીના કે અન્ય વસ્તુ લઈને પોતે નક્કી કરેલી મર્યાદાથી વધારે દૂર લઈ ગયા. હવે તે વસ્તુ પાછી મેળવવી છે તો પોતે જાતે તો નક્કી કરેલી મર્યાદા ઓળંગી શકે નહિ. તેથી પોતે ત્યાં જઈને તે વસ્તુ લાવી શકે નહિ. છતાં પોતે જાતે જઈને લાવે તો આ અતિચાર લાગે. અહીં ભંગ થવાના બદલે અતિચાર લાગવાનું કારણ એ લાગે છે કે, દિશામર્યાદાનું ઉલ્લંઘન કરતાં તેના મનમાં એવો ભાવ છે કે, હું ક્યાં મારી ઈચ્છાથી કે મારા અંગત કામ માટે જાઉં છું? આ તો વાંદરા વગેરે આ વસ્તુઓ લઈ ગયા, તેથી તે પાછી મેળવવા તેમણે મને ફરજ પાડી છે; માટે જાઉં છું. આવી સાપેક્ષતા વ્રતભંગ ન થવા દેતાં અતિચાર લગાડે છે. તે જ રીતે જો પોતે ન જતાં, અન્ય કોઈ વ્યક્તિ પાસે પણ તે મર્યાદા બહારના ક્ષેત્રમાંથી પોતાની વસ્તુ મંગાવે તો પણ અતિચાર લાગે. પોતે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી માટે વ્રતભંગ નથી. પોતાની વસ્તુ માટે જ બીજાને પોતાની મર્યાદા બહાર મોકલે આધા ૩ર ઉવત ધરીયે ગુરુ સાખ ભાગ -૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy