SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તો સાંભળી લે ! ગમે તેમ તો ય હું રાજા છું ને તું મારી પ્રજા છે. તારી આ અક્ષમ્ય ધૃષ્ટતા છે, જે કોઈ સંયોગમાં ચલાવી ન લેવાય. સો યોજનથી વધારે દૂર નહિ જવાનું તારે વ્રત છે ને ? મારા સૈનિકો એક હજાર યોજન દૂર તને ફેંકી દેશે...... !' ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો; પણ સિંહશ્રેષ્ઠી ધીર હતા, ગંભીર હતા. ક્ષણમાં પરિસ્થિતિ પારખી લીધી. વિચક્ષણ અને બુદ્ધિશાળી સિંહે વાતને વળાંક આપી દેતાં કહ્યું, “મહારાજાધિરાજ ! આપ શાંત થાઓ. મેં તો નમ્રતાથી મારા વ્રતની વાત જણાવી, બાકી આપની જે કાંઈ આજ્ઞા હોય તે તો મને માન્ય જ હોય ને ? આપની આજ્ઞાનો અનાદર કરવાનું તો હું સ્વપ્નમાં ય ન વિચારી શકું. અને મહારાજા ! સાચી વાત કહું ? નાગપુર જાઉં તો આપનાથી મારે ઘણું દૂર જવું પડે. આપની સાથેનો મારો સંબંધ એટલો બધો ગાઢ અને આત્મીયતાભર્યો છે કે – જેથી આપનો વિરહ મારાથી સહન થતો નથી. તેથી મેં ના પાડી હતી. છતાંય આપની જો તેવી જ આજ્ઞા હશે તો નાગપુર જવાની મારી તૈયારી છે.’’ આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો; કારણકે મહાપુરુષોને સામાન્યરીતે ગુસ્સો આવતો નથી, પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે સામેની વ્યક્તિ ભૂલ ન સ્વીકારે ત્યાં સુધી જ ટકતો હોય છે. સામેવાળો જો શરણું સ્વીકારે તો ક્ષણમાં ક્ષમા આપી દેતા તેમને વાર લાગતી નથી. રાજાએ પુત્ર ભીમને બોલાવીને કહ્યું, ‘‘કુમાર ! તારી સાથે સિંહશ્રેષ્ઠી આવે છે. તમારે નાગપુર જવાનું છે. મારો એ પરમ મિત્ર છે. મારું બીજું રૂપ છે, તેમ કહું તો ખોટું નહિ. તેની સલાહ પ્રમાણે વર્તજે.’’ પુત્રે પિતાની આજ્ઞા માથે ચઢાવી. વિશાળ સૈન્ય, સેનાધિપતિ મહાવીર, મંત્રીમંડળ તથા સિંહશ્રેષ્ઠિ સાથે ભીમકુમારને રાજાએ વિદાય આપી. સિંહશ્રેષ્ઠી રાજકુમારની સાથે જ રથમાં બેઠાં. તેમણે પ્રયાણની ગતિ ઘણી ધીમી રાખી હતી. રસ્તામાં તેઓ રાજકુમાર સાથે અલકમલકની વાતો કરીને તેનું દીલ જીતવા લાગ્યા. વિશિષ્ટ આત્મીયતા પેદા કર્યાં પછી તેમણે રાજકુમારને વૈરાગી બનાવવા પ્રયત્ન કર્યો. સંસાર કેવો અસાર છે ! તેના સંબંધો કેવા તકલાદી છે ! વિશ્વાસઘાત, પ્રપંચો અને કાવાદાવા કેવો ભાગ ભજવે છે ! સંસારના ભોગસુખો વિપાકમાં કેવા દુઃખદાયક છે ! પળે પળે બંધાતા કર્યો પોતાનો પરચો બતાડે ત્યારે આ જીવની કેવી કેવી હાલત થાય છે ? રાગ – દ્વેષથી કેવા કેવાં કર્મો બંધાય છે ? તેના કારણે દેવ - નારક - મનુષ્ય - ૨૫ નું વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy