________________
ન જાય તેની કાળજી લેવી જોઈએ. વળી મહારંભ - પરિગ્રહ તો નરકના દરવાજા છે, એ વાત ખ્યાલમાં રાખીને મહારંભવાળા ધંધા કરવા નહિ.
પુષ્કળ પાણી - લાઈટ વગેરેના વપરાશ દ્વારા જેમાં ભયંકર આરંભ - સમારંભ થાય છે, તેવા કારખાના - ફેકટરી વગેરે ખોલવા તો નહિ. પણ તેવા કારખાના - ફેકટરી વગેરેના આરંભ - સમારંભની જેના દ્વારા અનુમોદના થાય છે, તેવા શેર વગેરેના ધંધા કે દલાલી કરવી નહિ. વગરફોગટના પાપોના પોટલા શા માટે બાંધવાના?
ગૃહસ્થ જીવન જીવવા માટે પૈસાની જરૂર તો પડે. પણ પૈસા પાછળ પાગલ નહિ બનવાનું. આજીવીકા પ્રસન્નતાપૂર્વક ચલાવી શકાય તેટલું મળે એટલે સંતોષ કેળવી દેવો. પૈસાની તીવ્ર વેશ્યા કે આસક્તિ પેદા ન કરવી. આ પરિગ્રહ પરિમાણ વ્રત લેવા દ્વારા પૈસાની આસક્તિને બ્રેક મારવી. જો તેમ કરવામાં ન આવે તો પૈસાની કારમી આસક્તિ દુર્લભ માનવજીવનને નિષ્ફળ બનાવ્યા વિના નહિ રહે, એ ભૂલવું નહિ.
તમને મંઝવતા તમામ સવાલોના અત્યંત સંતોષકારક સમાધાનો મેળવીને શાંતિ - સમાધિ અને
પ્રસનતાભર્યું જીવન જીવવા પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિ. મ. સાહેબલિખિત કર્મનું કમ્યુટર ભાગ - ૧ - ૨ - ૩
અવશ્ય વાંચો.
કરી
૧૯ પ વ્રત ધરીયે ગુરુ સાખ- ભાગ - ૨ ફા