SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ક્ષેત્ર - વાસ્તુ પ્રમાણતિક્રમઃ ખેતર, ફેકટરી, મીલ, દુકાન વગેરે ક્ષેત્રની સંખ્યામાં વધારો કરવાની જરૂર જણાય ત્યારે વ્રતભંગ થવાની શક્યતાથી શી રીતે વધારો કરાય? તેથી તે દુકાન વગેરે મોટી કરે. બીજી દુકાન લઈને ભેગી કરે. મશીનો વધારે વસાવે વગેરે ચાલાકીથી આઘુ – પાછું કરીને પણ વ્રત લેતી વખતની સંખ્યા સાચવી રાખે. તે જ રીતે મકાન - ફલેટ વગેરેની સંખ્યા પણ સાચવી રાખે. વચ્ચેની દિવાલ તોડીને બે ઘરને એક કરે, વગેરે.... આ બધામાં હકીકતમાં વ્રત લીધા.વખતનો આશય જળવાતો નથી તેથી તે અપેક્ષાએ વ્રતનો ભંગ ગણાય. પણ શાબ્દિક રીતે તો વ્રતની પ્રતિજ્ઞાનું પાલન થયું જ છે. આ વ્રતની સાપેક્ષતા ગણાય. આ ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર ગણાય. (૩) રુપ્ય - સુવર્ણ પ્રમાણતિક્રમ : સોના - ચાંદીના વાસણો, ઘરેણા વગેરે પ્રમાણ કરતાં વધી જવાથી પોતાની પત્ની, પુત્ર, પુત્રીને આપવા, તેના નામે કરવા અને એ રીતે આત્મસંતોષ માનવો કે આ ક્યાં મારા દાગીના છે? આ તો પત્નીના છે, વગેરે... અહીં પણ વ્રતભંગ ન કરવાનો આશય હોવાથી સાપેક્ષતા છે. માટે અતિચાર છે. (૪) કુષ્ય પ્રમાણ અતિક્રમઃ ચાંદી – સોના સિવાયની કાંસુ, લોખંડ (સ્ટીલ), તાંબુ, પીત્તળ, સીસું એલ્યુમીનીયમ વગેરે ધાતુઓ, જુદી જુદી ધાતુઓના વાસણો, માટીના વાસણો, ફર્નીચર વગેરેના નિયત કરેલાં પ્રમાણમાં વધારો થવાની શકયતા હોય ત્યારે વ્રતભંગ ન થવા દેવા ક્યાંક રખાવે, મોડા મંગાવે વગેરે રૂપ ચાલાકી કરવી તે આ ચોથો અતિચાર. (૫) દ્વિપદી - ચતુષ્પદ : પત્ની, નોકર, ઘાટી, દાસ - દાસી, કોયલ, પોપટ, મોર, કુકડા વગેરે બે પગવાળા તથા ગાય, ભેંસ, ઘોડો, કૂતરો વગેરે ચાર પગવાળા પશુઓ વગેરેની જે સંખ્યા નક્કી કરી હોય, તેમાં કોઈ ગર્ભને ધારણ કરે તો, હજું બચ્ચું જન્યું ન હોવાથી તેની ગણત્રી ન કરે. હકીકતમાં તો તે બચ્ચે પેટમાં આવી ગયું ત્યારથી જ તેની માલિકી પણ થઈ જ ગઈ છે. છતાં વ્રતભંગ થવાના ભયથી તે એમ વિચારે કે હજુ કયાં જન્મ થયો છે? મારે તો જન્મેલા જે હોય તે જ ગણવાના હોય ને? તે ક્યાં વધારે થયા છે? આ રીતે જે વ્રતની સાપેક્ષતા છે, તે વ્રતભંગ થવા દેતી નથી, પણ માત્ર અતિચાર લગાડે છે. વ્રતભંગ ન થાય તે માટે ગાય, ભેંસ - ઘોડી વગેરેને ગર્ભાધાન એવી રીતે જ કરાવે છે જેથી વ્રતની સમયમર્યાદા પૂર્ણ થયા પછી જ તેઓ બચ્ચાને જન્મ આપે. આ પાંચે અતિચારોને બરોબર સમજી લઈને તેમાંથી એકપણ અતિચાર લાગી ૧૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy