SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર આસક્ત થયેલું એ તે, અળસિયું જેમ બે પ્રકારે માટી એકત્ર કરે તેમાં બે પ્રકારે કમલને સંચય કરે છે. ૧૦ - પછી રેગથી પીડાતે તે પરિતાપ પામે છે, અને પોતાનાં કર્મો વિશે વિચાર કરતો તે પરલોકથી ભય પામે છે. ૧૧ - જ્યાં દુરાચારીએ જાય છે એવાં નરકનાં સ્થાન મેં સાંભળ્યાં છે, જ્યાં દૂર કર્મ કરારા બાલ અને ગાઢ વેદના પામે છે. ૧૨ ' મેં એ વિશે સાંભળ્યું છે તેમ, પિતે કરેલાં કર્મોથી ઔપપાતિક સ્થાનમાં (નરકમાં ૩ જતા તે પછીથી પરિતાપ પામે છે. ૧૩ ' જેમ ગાડીવાન, જાણવા છતાં, સપાટ રાજમાર્ગને ત્યાગ ' ૧. અળસિયું માટી ખાય છે તેમ જ માટીની વિષ્ટા કરે છે. મૂળમાં સિકુળાનો સ્ત્ર માિં પાઠ છે. ડો. યાકેબીએ સગુનાને અર્થ ‘નાગનું બચુ કર્યો છે, પણ ત્યાં અર્થની સંગતિ સધાતી નથી. પણ ટીકાકારોએ શિશુનાગ –કાસ થઃ એવી સ્પષ્ટતા કરી છે, એટલે એ શબ્દને “અળસિયું અર્થ લેવું જોઈએ ૨. બાહ્ય અને આત્યંતર પ્રવૃત્તિથી શરીરથી અને મનથી. ૩. દેવ અને નારક ગતિમાં છે ઉપપાતથી પેદા થાય છે માટે તે ઔપાતિક સ્થાન પણ અહીં ઔપપાતિક સ્થાન વડે માત્ર નરક સમજવાનું છે. • तओ पुट्ठो आयङ्केणं गिलाणो परितप्पई। पभीओ परलोगस्स कम्माणुप्पेहि अप्पणो सुया मे नरए ठाणा असीलाणं च जा गई। बालाणं कूरकम्माणं पगाढा जत्थ वेयणा तत्थोऽधवाइयं ठाणं जहा मे तमणुस्सुयं । आहाकम्मे हिं' गच्छन्तो सो पच्छा परितप्पई जहा सागडिओ जाणं समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो अक्खे भग्गम्मि सोयई। ૨. મેવાસુરધું. રૂા. ૨. ગા”. શrs |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy