________________
શ્રી ગુરૂવદન ભાષ્ય,
ભાવાર્થ-વિનય તે ધર્મનું જ્ઞાનનું અને આચારનું મૂળ છે; જે વિનય (દેવ ગુરૂ પ્રત્યે ભક્તિ અને નમ્રતા) ન હોય તો તેવા વિનય હિત ધર્મનું કંઈ પણ ફળ નથી. તે કારણથી જ શ્રી મુનિ મહાત્માઓના આચાર વિચારને દર્શાવનાર અને શ્રી આચારાંગ સૂત્રથી પણ પહેલાં જ યોગવહન (તપ વિશેષ) કરીને અધ્યયન કરવા (ભણવા) યોગ્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયનમાં સર્વથી પહેલું વિના નામનું જ અધ્યયન વર્ણવ્યું છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે –
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ? १२१६ ॥ जम्हा विणयइ कमं, अविहं चाउरंतमुरकाए । तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीनसंसारा ॥ १२१७ ॥
અર્થ-દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનરૂપી શ્રી જિનેન્દ્રશાસનનું મૂળ વિનય છે, તે કારણથી જે વિનયત હોય તે જ સંત-સાધુ હોય છે. પરંતુ જે વિનયથી રહિત હોય તેવા સાધુને ધર્મ પણ ક્યાંથી ? અને તપ પણ ક્યાંથી ( કેવી રીતે) હોય ?, ૧૨૧૬ (હવે “વિનય શબ્દને અર્થ કહે છે-) જે કારણથી ચાર ગતિ રૂપ સંસારને મોક્ષ-વિનાશ કરવા માટે (જે આચાર-ક્રિયા), આઠ પ્રકારનાં કર્મને વિનતિ વિશેષતઃ નાશ પમાડે છે, તે કારણથી વિનષ્ટ સસારવાળા વિદ્વાને (શ્રી સર્વજ્ઞ ભગવંત તેવા આચારને) “વિન” એમ કહે છે, જે ૧૨૧૭ છે
ઝવતા :-હવે ત્રીજા પ્રકારની ગુરૂવંદનાને અર્થ (જે પ્રથમ કહે બાકી રાખ્યો હતો તે , અને તે ત્રણ પ્રકારની વંદના કેને કરવી? તે બે વાત આ ગાથામાં કહેવાય છે. तइयं तु छंदणदुगे, तत्थ मिहो आश्मं सयलसंधे। बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु ॥४॥