SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ચરણવાળી અકેક ગાથા હોય ત્યાં ( નવકારને ચૂલિકાલેક વજીને) સર્વસ્થાને ૧ ચરણનું ૧ પદ અને ૧ સંપદા ગણાય છે વિતરણ–-હવે એ સાતે સૂત્રોમાં પ્રત્યેકમાં વર્ણ પદ અને. સંપદાની સંખ્યા દર્શાવવા માટે પ્રથમ આ ગાથામાં નવકારના વર્ણ પદ અને સંપદા ત્રણે ભેગી કહે છે – वन्नट्ठसट्टि नवपय, नवकारे अट्ठ संपया तत्थ। .. सगसंपय पयतुला, सतरकर अट्ठमी दुपया ॥३०॥ - શબ્દાર્થ –-સુગમ છે. , નાથાર્થ –નવકારને વિષે વર્ણ (અક્ષર) ૬૮ છે, પદ ૯. છે, અને સંપદા ૮ છે. તેમાં હું સંપદા ૭ યુદ પ્રમાણે જાણવી. અને ૮ મી સંપદા ૧૭ અક્ષરવાળી ૨ પદની જાણવી. ૩૦ માવાર્થ-નવકારમાં પાંચ પદના ૭-૫-૭-૭-૯મળી ૩૫ અક્ષર છે. તે દરેક પદની એકેક સંપદા ગણતાં પ સંપદા, અને ચૂલિકા ક્લોક્ના ૪ પદ તથા ૩૩ અક્ષર છે, તેમાં પહેલાં ૨ પદની (બે ચરણની) ૧ સંપદા ગણવી. નવકાર સૂત્રની ઉપધાન ક્રિયામાં "એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ કરીને ભણી શકાય છે, એ ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ ) વિધિ છે. અહિં ચલિકાલેક અનુષ્યપ છંદને છે, અને અનુષ્ય, શ્લોક ૩ર અક્ષરને હોય છે, છતાં આ લેકમાં ૩૩ અક્ષર લેવાથી પણ દબંગ ન વિચાર, પુનઃ કેટલાક આચાર્યો નવરથમ સુપર છઠ્ઠી એટલે ૮મી સંપદા “પઢમં હવઈ મંગલં ” એ ૯ અક્ષરની અને ૧ પદની દહી સંપદા એસપંચ થી “પણાસણે” સુધીનાં ૨ પદની અને ૧૬ અક્ષરની કહે છે. ૧ કયા સૂત્રમાં, કઈ કઈ સંપદા, કયાંથી કયાં સુધીની ગણવી તે, તથા સંપદાઓનાં વિશેષનામ પણ આગળ ૩ર થી ૩૮ સુધીની ગાથામાં કહેવાશે. ૨ એ “અનુટુમ્” છંદના સ્વલ્પવાળા હોવાથી છંદભંગ ન ગણવે. (અવચૂરિ) અહિં “હવઈ ને સ્થાને કેટલા આચાર્ય “હોઈ ” કહે છે. પરતુ બહુમતે “હવઈ” પાઠ છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy