SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, વતિ -અન્ય આચાર્યોના મતે બીજી રીતે પણ ૩ પ્રકારની ચેત્યવંદના છે, તે કહે છે – अन्ने बिति इगेणं, सकथएणं जहन्न वंदणया। तदुगतिगेण मज्झा, उक्कोसा चउहि पंचहि वा ॥२४॥ | શબ્દાર્થ – ગ = બીજા આચાર્યો | તત્તિળ = તે ૨-૩ વડે બ્રિતિ = કહે છે કે (= ૨ તથા ૩ કસ્તવ સંદીપ = શકસ્તવ (નમુન | વડે ). ©૦) વડે માથાર્થ –બીજા આચાર્યો કહે છે કે—૧ શકસ્તવ વડે જઘન્યવંદના, ૨ તથા ૩ શકસ્તવડે મધ્યમ વંદના, અને ૪ અથવા ૫ શકસ્તવ વડે ઉત્કૃષ્ટ વંદના થાય છે કે ૨૪ . માવાર્થ –અન્ય આચાર્યોને અભિપ્રાય એ છે કે-–દેવ વંદનની જે વિધિમાં નમુત્થણું ૧ વાર આવે તે જઘન્ય, એ * “ શક્ર ” એટલે સૌધર્મેન્દ્ર. તે જે સૂત્રવડે “સ્તવ ” સ્તવના કરે છે તે શકસ્તવ, અર્થાત્ જન્માદિ કલ્યાણક પ્રસંગે ઈન્દ્રાસન ચળાયમાન થતાં જ્યારે સૌધર્મેન્દ્ર પ્રભુનો જન્મ જાણે કે તુર્ત ઇન્દ્રાસન પરથી ઉતરી – પગલાં પ્રભુની દિશા સન્મુખ આવી યોગમુદ્રા સહિત નમુથુનું સૂત્ર બોલીને જ પ્રભુની સ્તુતિ ત્યાં સુધર્માસભામાં જ કરે છે. માટે નમુક સૂત્ર “ શક્ર સ્તવ” કહેવાય છે. - ૧ ઉદાહરણ તરીકે જેમ વર્તમાનકાળમાં ખમા –ત્ય૦-જંકિંચિ– નમુક–જાવતિ –જાવંત-સ્તવન–જયવી – અરિહંતચે-અન્નત્થ-કાઉસ્સગ્ગ -૧ થેય, એટલા સૂત્રથી ચૈત્યવંદન થાય છે તેમાં નમુત્થણું ૧ વાર આવે છે, માટે એ જઘન્ય ચૈત્યવંદના જાણવી. અથવા ચેમાસી દેવવંદન વખતે ૧૯ જિનેશ્વરના ચૈત્યવંદનનો ક્રમ તે પ્રત્યેક જઘન્ય ચૈત્યવંદના. ઈત્યાદિ. સ્થાને જુદી જુદી વિધિ પ્રમાણે આ જઘન્ય ત્યવંદના ૧ નમુત્થણું વાળી આવે છે, ૨ જેમ વર્તમાનમાં દેવસિક પ્રતિક્રમણના પ્રારંભે અથવા રાત્રિ પ્રતિ માં પર્યન્ત (૬ આવશ્યક થયા બાદ) કરવામાં આવે છે, કે જેમાં ચિત્યવંદનના પ્રારંભમાં અને પર્યત એમ બે વાર નમુત્થણું આવે છે તે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy