________________
શ્રી ચિત્યવંદન ભાષ્ય.
છદ્મસ્થ (અસર્વતીર્થકર પદવી રહિત) હોય છે, માટે એ પિંડસ્થ અવસ્થાનો અર્થ છદ્મસ્થ અવસ્થા કહ્યા છે.
તથા શ્વત્ર તીર્થકર પદવી, તે પ્રભુ જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારેજ પ્રગટ થાય છે, કે જે પરમ પુણ્યવંતી તીર્થંકર પદવીના (તીર્થકર નામકર્મના ઉદયના) પ્રભાવથી ઇન્દ્રો તથા દે આવે છે, સમવસરણ રચાય છે, તે ઉપર બેસીને પ્રભુ દેશના-ઉપદેશ આપે છે, અને દેશના સમાપ્ત થયા બાદ ગણધર પદવીને એગ્ય એવા મુનિઓને ત્રિપદી સંભળાવી ગણધર પદે સ્થાપે છે, અને પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરેલી સાવીઓમાં એક મુખ્ય સાધ્વી, તેમજ દેશવિરતિ ગ્રહણ કરેલ શ્રાવકેમાં એક મુખ્ય શ્રાવક તથા શ્રાવિકાને સ્થાપે છે. એ પ્રમાણે ગણધર તથા સાધુ-સાવી-શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ તેજ તીર્થ, અને તે તીર્થને સ્થાપન કરવાથી પ્રભુ તીર્થકર કહેવાય છે, અને તે કેવળજ્ઞાન પામ્યા બાદ પ્રથમ સમવસરણ વખતે થાય છે, માટે અહિં પદસ્થ એટલે કેવલિપણું એ અર્થ છે, તે કેવલિપણું તીર્થકર પદવી યુકત જાણવું, તેમજ તે પદસ્થપણું નિર્વાણ સમય સુધીનું જાણવું
તથા પ્રભુ જ્યારે નિર્વાણ પામી સિદ્ધ થાય છે, ત્યારે રૂપ એટલે શરીર રહેતું નથી, પરન્તુ કેવળ આત્મા જ રહે છે, અને તે આત્મા રૂપ રહિત ( વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત) હોય છે, માટે અહિં ત્રીજી જ કપાતીત અવસ્થા એટલે સિદ્ધ પણું” એવો અર્થ છે. એ પ્રમાણે ૩ અવસ્થાઓનો અર્થ
૧ ચતુર્વિધ સંઘ અથવા તો પહેલા ગણધર એ બને તીર્થ કહેવાય છે, જેથી પહેલા ગણધરની સ્થાપના વડે પણ પ્રભુને તીર્થકર પણું ગણી શકાય.
૨ રૂપ એટલે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ એજ તાત્ત્વિક અર્થ છે. ૩ ૪પ = રૂપથી સતત = રહિત તે રૂપાતીત અવસ્થા.
૪ પ્રશ્નઃ—નામની સમાનતા પ્રમાણે જેમ પિંડસ્થાદિ ધ્યાન ૪ પ્રકારનું છે, તેમ અવસ્થા પણ ૪ પ્રકારની હોવી જોઈએ છતાં ૩ પ્રકારની કહી તે પસ્થ ધ્યાન કેવી રીતે થાય ? ઉત્તર–પ્રભુના પ્રથમ દર્શન વખતેજ રૂપસ્થ ધ્યાન થાય છે (સંઘાચાર વૃત્તિઃ)