________________
૨૦૦
પ્રત્યાખ્યાન ભાષ્ય,
સરણુ-સંબંધ તે દરેક પેટા પરચ૦ ના પ્રારંભમાં અનુસરતા ઉગ્ગએ સૂરે વા સૂરે ઉગ્ગએ ' ને પાઠવત અને પર્યતમાં અનુસરતા પચ્ચખાઇ વા વિસિરઈના પાઠવત) આવે છે એમ જાણવું
તથા સત્તા એટલે એકદમ (=અણધાર્થ-અચાનક-ઓચિંતું -અકસ્માત ) કે કાર્ય થઈ જાય કે જે કાર્ય પોતે જાણી જોઈ ને ન કર્યું હોય, તેવા સહસા કાર્યને (=વા અકસ્માત કાર્ય ને) જે આગારઝાર ( =છૂટ) તે સત્તાવાર કહેવાય, જેમકે-ઉપવાસનું પચ્ચ૦ કર્યું હોય, અને છાશ વલોવતાં છાશને છોટે ઉડીને પિતાની મેળે મુખમાં પડી જાય તે તે સહસાકાર કહેવાય, માટે એવા સહસાકારથી પણ પચ્ચ૦ ને ભંગ ન ગણાય, તે કારણથી સત્તામાં આગાર રાખવામાં આવે છે,
તથા મેઘ વડે અથવા આકાશમાં મહાવાયુથી ચઢેલી ધૂળ વડે અથવા પર્વત વિગેરેની આડથી સૂર્ય ઢંકાઈ જવાથી દિવસ કેટલે ચઢયે છે? તેની સ્પષ્ટ ખબર પડે નહિ, અને તેથી અનુમાનથી પરિસી વિગેરે પશ્ચર નો કાળ પૂર્ણ થયે જાણીને તે પચવ પારવામાં આવે, પરંતુ વાસ્તવિક રીતે પડ્યું ને કાળ પૂર્ણ ન થયો હોય તે તેવા પ્રસંગે કરેલા પચ્ચ ને ભંગ ન થાય તે માટે પ્રશ્નાર્દન ( મેઘ વિગેરેથી ઢંકાયેલા કાળ વડે ભૂલથી અપૂર્ણ કાળે પશ્ચર પારી લેવાય તો પણ પચ૦ ભંગ ન થાય એવો ) આગાર રાખવામાં આવે છે. પરન્તુ અહિં પચ્ચ૦ નો કાળ હજી પૂર્ણ નથી થયો એમ જાણવામાં આવે તો તુર્તજ જમતાં જમતાં અટકી જવું, અને તેમજ બેસી રહેવું, પછી જ્યારે પશ્ચ૦ ને કાળ પૂર્ણ થાય ત્યારે શેષ ભેજન જમવું, અને જે કાળ પૂર્ણ નથી થયે એમ જાણ્યા છતાં પણ જમવાનું ચાલુજ રાખે તો પવનો ભંગ થયે જાણ.
તથા પૂર્વ દિશાને પશ્ચિમ દિશા જાણે (અને પશ્ચિમને * જુએ ગાથા ૯ મી ભાવાર્થ
૧–ર એવી દિમૂઢતા વખતે વાસ્તવિક રીતે સૂર્ય પૂર્વમાં જ હોય છે, પરતું તેને પશ્ચિમ જાણવાથી “સૂર્ય પૂર્વ દિશા છોડીને પશ્ચિમ દિશા