________________
દ્વાર ૪ થું (ઉર આગારને અર્થ).
૧૦૯
માવાર્થ-સર્વ આગારમાં પહેલે આગાર અન્નત્થણ ભેગેણું છે, તેમાં “અન્નત્થ” અને અનાગ) એ બે શબ્દ છે. ત્યાં અસર એટલે અન્યત્ર ( સિવાય અથવા વજીને) એ અર્થ છે, અને નામ શબ્દનો અર્થ તે વિસરી જવું એ પ્રમાણે ગાથામાંજ કહે છે, તેથી જે પચ્ચખાણ કર્યું છે તે પચ્ચખાણ મતિદોષથી અથવા ભ્રાન્તિથી કદાચ ભૂલી જવાય અને તેથી ત્યાગ કરેલી ચીજ ભૂલથી ખાઈ લેવાય, અગર મુખમાં નાખી દેવાય તે તે નામ" કહેવાય, માટે એ અનાગ ( સ્થ5) વઈને જ હું આ પચ્ચ૦ કરું છું, એમ પરચ૦ લેતી વખતે તે છૂટ પ્રથમથી જ જણાવવા માટે પશ્ચ૦ ના આલાવામાં જરથમ આગાર ઉચ્ચરે પડે છે, જેથી વિસરી જતાં કદાચ તેવી ભૂલ થાય તે પણ કરેલા પચ્ચક નો ભંગ (=પ્રતિજ્ઞા ભંગ) ગણાય નહિં (અથવા થાય નહિ).
વળી આ અને બીજા પણ આગારના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવું કે-ભૂલથી અથવા બીજા કેઈ પ્રકારથી ત્યાગ કરેલી ચીજ ખાઈ લેવામાં અગર મુખમાં નાખવામાં આવે તે સ્મરણમાં આવતાં તુર્તજ ખાવાનું બંધ કરી મુખમાં ચાવતાં ચાવતાં પણ શેષ રહી ગયેલી ચીજ બહાર કાઢી નાખી મુખ શુદ્ધિ કરી લેવી, પરન્તુ ગળે ઉતારવી નહિં, અને ફરીથી તેવી ભૂલ ન થાય તેમ પરિણામ પણ નિઃશંક-મલિન ન થાય એટલા માટે તેની ભૂલનું ગુરૂમુખે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું એ શુદ્ધ વ્યવહાર છે.
તથા અશ્વત્થ (એટલે વઈને) એ શબ્દ જેમ “અનાભોગ * શબ્દ સાથે જોડવામાં આવ્યું છે, તેમ આગળ કહેવાતા સહસાકાર વિગેરે બીજા આગેરે સાથે સંબંધવાળે છે, જેથી સન્ની ોિપ-10 મત્તાન-સન્ન સંઘમાહિત્તિયાગારેvi ઈત્યાદિ રીતે સર્વે આગારમાં “R
શબ્દ અનુસરે છે, પરન્તુ ઉચ્ચારમાં વારંવાર ન બોલવા ના કારણથી એ શબ્દને પહેલા આગાર સાથે જોડી દીધો છે, જેથી શેષ આગારેમાં પણ તેનું (“અન્નત્થ” પદનું) અનુસ