________________
૧૮૮
પ્રત્યાખ્યાન લાગે,
થાય છે, અને કાંજીનું પાણી ( =છાશની આછ), જવનું પાણી (= જવનું ધાવણ), કેરનું પાણી (કેરનું ધાવણ), અને કર્ક ટકનું તે ચીભડા વિગેરે ફળની અંદર રહેલું અથવા તેના
ધાવણનું પાણી તથા મદિરા વિગેરે પાણી એ સર્વ જાતિનાં પાણી આહારમાં ગણાય છે. ૧૪ w | માયાથે–ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે તિવિહારના પચ્ચખાણવાળાને એ પાણી કપે નહિ, પરન્તુ નદી કૂવા તળાવ વિગેરેનાં પાણી કે જે કર્પરાદિ અન્ય પદાર્થ વડે મિશ્ર થયેલ ન હોય તેવાં જ શુદ્ધ પાણી તિવિહા૨માં કહ્યું, અને કર દ્રાક્ષા એલાયચી આદિ સ્વાદમ વસ્તએથી મિશ્ર થયેલાં-કરેલાં જળ દુવિહારમાં કપે,
વિતરણ–ચાર પ્રકારના આહારમાંથી પૂર્વ ગાથામાં પહેલા અશન અને પાન એ બે આહારનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં હિમ અને હવાહિમ એ બે આહારનું સ્વરૂપ કહે
છે, તેમજ આહારમાં ન ગણાતી (અનારે) વસ્તુઓ પણ • કહે છે–
૧ ઘઉં ચોખા કકવ વિગેરે અનાજનાં ધાવણ પણ એમાં અંતર્ગત જાણવાં.
૨ ઇતિ પ્રવસાવૃત્તિઃ ૩ ઈતિ ભાષ્યાવચેરિટ ૪ સરકા, આસો વિગેરે એમાં અંતર્ગત જાણવા.
૫ એ ઉપરાન્ત નાળીયેરનું પાણી, શેલડીનો રસ તથા છાશ (અને મદિરા ) જે કે પાણી તરીકે ગણાયેલાં છે, પરંતુ એને વર્તમાન કાળે અશનમાં ગણવાનો વ્યવહાર છે. એ ઉપરાન્ત નદી તળાવ કૂવા વિગેરેનાં પાણી એટલે સર્વ અપૂકાય પણ પાનમાંજ ગણવા.
૬ પ્રાણોનો ઉપકાર કરે તે પાન ( ઇતિ નિયુક્તિ અર્થ), અથવા 1 ધાતુ પીવાના અર્થમાં હોવાથી જે વય-પીવાય તે વન ( ઈતિ વ્યુત્પત્તિ અર્થ ).