SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. શા * પપપપ | માયાથે–ગાથામાં માત્ર પુષ્પપૂજાથી અંગપૂજા કહી છે તે પણ તે પુષ્ય શબ્દ ( ઉપલક્ષણવાળે હેવા)થી નિર્માલ્ય ઉતારવું, મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કર, ૩-૫ વા ૭ વાર કુસુમાંજલિ પ્રક્ષેપ કરે, અંગભંછણ, વિલેપન, નવરંગપૂજા, પુષ્પપૂજા, આંગી ચઢાવવી (વા કરવી), પ્રભુના હાથમાં બીજોરું વિગેરે મૂવું, ધૂપ કરે, વાસક્ષેપ કર, કસ્તુરી આદિથી પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના કરવી, આભરણ તથા વસ્ત્ર પહેરાવવાં ઇત્યાદિ અનેક પ્રકારની હું મryજ્ઞા (પ્રભુના શરીર સંબંધિ પૂજા) છે. તથા ગાથામાં આહાર (નૈવેદ્ય) થી અગ્રપૂજા કહી છે, તો પણ ઉપલક્ષણથી પ્રભુની આગળ ધૂપ કરે, દીપક કરે, અક્ષતાદિ વડે અષ્ટમંગળ આલેખવાં, કુલને પગાર ભરો. અશન પાન ખાદીમ સ્વાદીમ એ જ પ્રકારનું નૈવેદ્ય ધરવું, ઉત્તમ ફળ મૂકવા, તેમજ ગીત નૃત્ય વાજીંત્ર આરતી મંગળ દીવો ઉતારે ઈત્યાદિ અનેક પ્રકારની ૨ માપૂના છે, તથા પ્રભુની આગળ ચૈત્યવંદન કરવું તે રૂ માવના છે (આ ત્રણે પૂજા અર્થ શ્રી ધર્મસંગ્રહવૃત્તિને અનુસાર જાણ). : અથવા ગંધપૂજા (ચંદનાદિ પૂજા)-માલ્યપૂજા (પુષ્પપૂજા) વાસક્ષેપ પૂજા-ધૂપપૂજા-અને દીપપૂજા, અથવા (કેટલાક આચાર્યોના મતે) પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-અને દીપ એ પ્રમાણે પણ ૯ પ્રારની પૂજા ગણાય છે, તથા પુષ્પ-અક્ષત-ગંધદીપ-ધૂપ-નૈવેધ–ફળ અને જળ એ પ્રમાણે ૮ ઘરની પૂજા ગણાય છે, ૧ શ્રી રા. વિ. સુ. કૃત બાલાવબોધમાં ગીત નૃત્યને ભાવપૂજામાં ગયું છે, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં ગીત નત્યને અપૂજા કહી છે, તથા ધર્મસંગ્રહવૃત્તિમાં અપેક્ષાભેદથી ભાવપૂજામાં અને અપૂજામાં પણુ ગણી છે. ર જળચંદન-પુષ્પ–ધૂપ અને દીપક એ રીતે પણ ૫ પ્રકારી પૂજા ગણાય. ૩ એમાં જળપૂજા પર્યતે કહી છે, પરંતુ જળપૂજા સર્વથી પ્રથમ કરવાની હોય છે, માટે પૂજાનો ક્રમ યથાયોગ્ય જાણો.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy