________________
દ્વાર ૨ જું (૪ ઉચ્ચારવિધિ ) ૧૮૧ વિગઈ, એકાશનાદિ, અને પાણુરૂના નાના આલાવામાં દરેમાં પ્રારંભે અને પર્યતે એ બે પાઠ–શબ્દ (જો કે સંબંધવાળા છે તો પણ) ન બોલવા, તે પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણવિધિ અથવા પરંપરા છે.
અવતરણ—હવે આ ગાળામાં પાણસના (પાણીના) આગારને આલા ક્યારે ઉચરાવવો? તે સંબંધિ ઉચ્ચારવિધિ દર્શાવે છે– तह तिविह पञ्चखाणे, भन्नंति य पाणगस्स आगारा । दुविहाहारे अच्चित्त-भोइणो तह य फासुजले ॥१०॥
શબ્દાર્થ –ગાથાથને અનુસાર સુગમ છે. જાથા–તથા તિવિહાર પચ્ચખાણમાં (એટલે તિવિહાર ઉપવાસ એકાશન વિગેરેમાં) પાણસ્સના આગાર( આલાવો) ઉચ્ચરાવાય છે. વળી એકાશન વિગેરે દુવિહારવાળું હોય તે તેમાં પણ અચિત્તભેજીને પાણસ્સના આગાર ઉચ્ચરાવવા, તેમજ એકાશનાદિ કંઈ પણ વિશેષ વ્રત વિના છૂટે શ્રાવક પણ જો ઉષ્ણ જળ પીવાના નિયમવાળો હોય તે તેને પણ પાણ
સના આગાર ઉચ્ચરાવવા. (તાત્પર્ય કે ઉષ્ણ પાણી પીવાના નિયમમાં સર્વત્ર પાણસ્સના આગાર કહેવા) + ૧૦ . .
૧. અહિં પાછુસ્સના આગાર ઉચ્ચરવા સંબંધિ ચતુર્ભાગી થીજ્ઞાનવિમલસરિકૃત બાલાવબેધમાં કહી છે તે આ પ્રમાણે– ૧ સચિત્ત ભેજન–સચિત્ત જળ (એમાં પાણીના આગાર નહિં)..
, –અચિત્ત જળ (એમાં પાણીના આગાર હેય). " ૩ અચિત્ત ભેજન–સચિત્ત જળ ,, ,, , નહિં). ૪ ,, અચિત્ત જળ ,, ,, , હેય). ' j, તાત્પર્ય એ છે કે-એકાશનાદિ જે જે વ્રતમાં તિવિહાર થઈ શકે છે તે તે વતના તિવિહારમાં (અચિત્ત ભજન અને) અચિત્ત જળ પીવું જોઈએ, અને તેથી પાણુસ્સના આગાર પણ ઉચ્ચરવા જોઈએ. અને તે એકાશનાદિ તેમાં દુવિહાર કર્યો હોય તો તે દુવિહારમાં તેવો નિયમ નથી. ત્યાં ક્યાં વ્રત દુવિહાર તિવિહાર વા ચઉવિહાર હોય છે તે ૧૨ મી ગાથામાં દર્શાવાશે.