________________
૧૭૦
પ્રત્યાખ્યાન ભાષ્ય.
૯ પરથાન (એકલઠાણું)–જેમાં જમણે હાથ અને મુખ એ બે અંગ સિવાય બાકીનું કઈ પણ અંગ હાલચાલે નહિ એવું અતિ (ક્ષક) નિશ્ચલ (થાન) આસનવાળું એકાસછું તે એકલઠાણું કહેવાય. પૂર્વે કહેલા એકાસણમાં સર્વ અવયે હલાવવાની છૂટ છે તેવી છૂટ આમાં નથી, એટલે જ ભેદ એકાસણુ અને એકઠાણામાં છે. [પુનઃ અહિં ભેજન કર્યા બાદ ઉઠતી વખતે ચઉવિહાર કરવાનું હોય છે, તેથી એકાસણની પેઠે ઊડ્યા બાદ ઊષ્ણ જળ પણ પીવાય નહિ એ વિશેષ છે]
૬ સાવિષ્ટ (સામાન્હ ) એમાં સામ-સામણ અને સાજીં=ખાટે રસ એ બેના ત્યાગવાળું તે આચામાસ્લ અથવા આચાર્મ્સ કહેવાય, તે ભાત-કઠેળ–અને સાથવાના આહારથી મૂળ ૩ પ્રકારનું છે, અને તે દરેક વળી જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ પ્રકારનું તે દ્રવ્યથી ગુણથી અને રસથી ગણાય છે, ઈત્યાદિ આયંબિલને ભેજનની વિશેષ સામાચારી તે પરંપરાથી જાણવા યોગ્ય છે, અને સામાન્યથી તો એટલું જ સમજવું કેગ્ય છે કે આયંબિલમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશને ત્યાગ હોય છે, તેમજ નીવિયાતને પણ ત્યાગ હોય છે, જેથી એમાં રસ કસ વિનાને નીરસ આહાર લેવાને હોય છે,
૭ સમર્થ-જેમાં મ=ભજનનું સર્જકપ્રયોજન સં=નથી, તે સમર્થ એટલે ઉપવાસ કહેવાય. એમાં આજના સૂર્યોદયથી આવતી કાલના સૂર્યોદય સુધી આખો દિવસ અને રાત્રિ ચારે આહારને અથવા પાણી સિવાય ત્રણે આહારને સર્વથા ત્યાગ હોય છે, તેમજ તિવિહારવાળાને પણ દિવસે ઉષ્ણ જળ પીવું કપે છે, રાત્રિએ તેને પણ ત્યાગ હોય છે. આ અભક્તાર્થમાં એક દિવસમાં કરાતા બે વારના ભેજનેને ત્યાગ ગણાય છે, પરન્તુ જે એજ ઉપવાસના (=અભક્તાર્થના ) પહેલા દિવસે એકાશન અને પછી પારણાના દિવસે પણ એકાશન કરીએ તો ચારવારના ભેજનને ત્યાગ થવાથી એ બે એકાશન સહિત એક ઉપવાસનું નામ ચતુર્થમવત (ચેથભા) કહેવાય છે.