________________
દ્વાર ૧-૨ જું (૧૦ અદ્ધાપશ્ચક–જ ઉચ્ચારવિધિ) જ
૮ વરિ અત્યા–આ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. ત્યાં દિવસના એટલે અહેરાત્રના રિમ= છેલ્લા ભાગનું અર્થાત રાત્રિનું જે પ્રત્યાખ્યાન તે વિવરવરિમ, અને ભવના એટલે આયુષ્યના છેલ્લા ભાગનું અર્થાત મરણ વખતનું પચ્ચખાણ તે (છેલી વખતે જીવે ત્યાં સુધીનું) મવમિ કહેવાય. એમાં દિવસરિમ પ્રત્યાખ્યાન સૂર્યાસ્તથી ૧ મુહૂ પહેલાં ગૃહસ્થાએ દુવિહાર તિવિહાર ચઉવિહારવાળું કરવું, અને મુનિને તો ચઉવિહારવાળું જ હોય છે, અને તે છૂટા શ્રાવક સાધુને તેમજ એકાશનાદિવાળાને પણ (પાણહારરૂપે) કરવાનું હોય છે.
૧ મિદ પ્રત્યા–અમુક કાર્ય થાય ત્યારેજ મારે અમુક ભેજન કરવું એવા પ્રકારને અભિગ્રહ કરે, તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ મુખ્યત્વે ૪ પ્રકાર છે. ત્યાં અમુક દ્રવ્ય=આહાર લેવો અથવા અમુક દ્રવ્ય વડે ( કડછી આદિ વડે ) આપે તો જ આહાર લે તે દ્રવ્ય મા અમુક ગામમાંથી અથવા અમુક ઘરમાંથી અથવા અમુક ગાઉ દૂરથી આહાર લાવવાને અભિગ્રહ તે ક્ષેત્ર મમદુ, ભિક્ષાકાળી પહેલાં અથવા ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વીત્યા બાદ આહાર લાવવાને અભિગ્રહ તે ૩ પ્રકારને ૮ મિત્ર અને ગાતે અથવા સદન કરે અથવા બેઠે બેઠે અથવા ઉભે ઉભે પુરુષ વા સી વહોરાવે તોજ આહાર લે ઇત્યાદિ અનેક પ્રકારને માવ સમિપ્રદ જાણ, પૂર્વે કહેલા અનાગતાદિ ૧૦ પ્રકારના પશ્ચ૦ માંનું ૮ મું પરિમાણકૃત પચ્ચ૦ તથા નવકારસી આદિ અદ્ધા પશ્ચ૦ વિનાનું ૯ મું સંકેત પચ્ચખાણ પણ આ અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં (સંબંધવાળું) ગણાય છે. - ૧ પ્રશ્નઃ– છૂટા શ્રાવકને તો એ પ્રત્યાખ્યાન યુક્ત છે, પરંતુ એકાશનાદિ તપવાળાને તો એકાશનાદિ તપ બીજા સૂર્યોદય સુધીનું હોવાથી તે તપમાં જ આવી ગયું ગણાય, માટે તેને દિવસચરિમ પ્રત્યા ની સાર્થકતા શી ?
ઉત્તર–એકાશન વિગેરે તપ આઠ આદિ આગારવાળું છે, અને દિવસચરિમ પ્રત્યા ચાર આગારવાળું છે, માટે આગારનો સંક્ષેપ થાય છે એ સાર્થકતા છે.-ઇત્યાદિ અધિક ચર્ચા ધર્મસંગ્રહવૃત્તિ વિગેરેથી જાણવી.