________________
૧૮:
પ્રત્યાખ્યાન ભાષ્ય,
-
૧
અવતર-પૂર્વ ગાંથામાં જે દશમું અદ્ધા પચ્ચખાણ કહ્યું તેના ૧૦ ભેદ છે તે આ ગાથામાં કહેવાય છે. [અથવા પહેલી ગાથામાં કહે લાં મૂળ નવ દ્વારમાં જે દશ પચ્ચખાણ નામનું પહેલું દ્વાર કહ્યું છે તે એક રીતે પૂર્વ ગાથામાં દર્શાવીને પુનઃ તેજ દ્વાર ( ૧૦ પચ્ચખાણ) આ ગાથામાં બીજી રીતે દર્શાવાય છે] - नवकारसहिय पोरिसि, पुरिमले-गासणे गठाणे य । आयंबिल अभतट्टे, चरिमे अ अभिग्गहे विगई ॥३॥
શબ્દાર્થ –ગાથાને અનુસાર સુગમ છે. 'જાથાર્થ-નવકાર સહિત (નવકારસી)-પિસ્થી-પુરિમાઈ (પુરિમ)-એકાશન-એકસ્થાન (એકલઠાણું)–આયંબિલ અભક્તાર્થ (ઉપવાસ)-દિવસ ચરિમ-અભિગ્રહ–અને વિકૃતિ (નીવી) એ દશ પ્રકારનાં સતા પહલાજ છે ૩
ભાવાર્થ-હવે અદ્ધા પચ્ચખાણુના ૧૦ ભેદનું કિંચિત સ્વરૂપ આ પ્રમાણે
૨ નવરહિયં (રમel aહત) અત્યાચાર–સૂર્યોદયથી પ્રારંભીને ૧ મુહૂર્ત (=ર ઘડી=૬૮ મિનિટ) સુધીનું અને
* ના હિત માં હિત શબ્દ મુહૂર્તાનાજ વિશેષણવાળો છે માટે અને અધ્ધા પચ્ચખાણ ૧ મુહૂર્તથી ઓછું હોય નહિં માટે નવકારસીને ૧ મુહૂર્ત કાળ અવશ્ય ગણવો જોઈએ. જેઓ એમ સમજે છે કે નવકારસી તો ૩ નવકાર ગણીને ગમે તે વખતે પારી શકાય, પરંતુ કાળની લેશ માત્ર પણ મર્યાદા નહિ, સૂર્યોદય પહેલાં તેમજ તુર્ત પણ ૩ નવકાર ગયે નવકારસી પચ્ચખાણ થઈ જાય તો તે સમજવું સર્વથા ભૂલ ભરેલું છે, માટે નવકારસી બે ઘડી પછીજ ૩ નવકાર ગણીને પારી શકાય. કારણ કે બે ઘડી થયા પહેલાં ૩ નવકાર ગણીને પારે તો નવકારસીનો ભંગ થાય છે, તેમજ બે ઘડી થયા બાદ પણ ૩ નવકાર ગણ્યા વિના મારે તો નવકારસી નહિ પારેલી ગણાય છે.
I અહિં નવકારસીનો કાળ ૧ મુહૂર્ત કેમ ? તે સંબંધિ વિશેષ ચર્ચા બીજા ગ્રંથેથી જાણવી.