________________
દ્વાર ૩ જું (પ અવંદનીય સાધુ) ૧૦૯ સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા ન હોય; વળી એ પ્રભુને વેષ ધરનાર છે માટે સાધુ વેષ દેખીને પણ પાર્થસ્થાદિકને વંદના કરવી એમાં કેટલાક કહે છે, પણ તેવા અભિપ્રાયથી કરેલી વેદના પણ મોટા. અનર્થવાળી છે; એ સંબંધિ ઘણી ચર્ચા આવશ્યક નિર્યતિથી. જાણવા જેવી છે. વળી પ્રમાદવાળા પાર્વેસ્થાદિકને વંદના કરવાથી તે પ્રમાદી સાધુમાં રહેલાં સર્વે પ્રમાદસ્થાને વંદનીય થાય છે, માટે પ્રમાદી મુનિ અવંદનીય છે, તેમજ પાર્શ્વ સ્થાદિને સંગ. કરનારા સાધુઓ પણ અવંદનીય છે.
પ્રશ્ન–પરિચયમાં આવેલા સાધુઓને તે પાર્શ્વ સ્થાદિનાં લક્ષણવાળા જાણી વંદના ન કરીએ; પરન્તુ અપરિચિત (અજા
ધ્યા) સાધુ મહારાજ ગામમાં પધાર્યા હોય તે તેમને વંદના. કરવી કે નહિ ?
ઉત્તર-પૂર્વે પરિચયમાં નહિ આવેલા સાધુ મહારાજને પ્ર-- થમ તે ઉચિત વિનય અને વંદનાદિ કરવા એગ્ય છે, પરંતુ
* दसणपरको सावय, चरित्तभठे य मंदधम्मे य । दसणचरित्तपरको તમને પરાક્રમ. એમાં “મજ રવાસ્થા ઈતિ વચનાત્ (આવ૦ નિર્યુક્તિ). એ ગાથાનો ભાવાર્થ–શ્રાવકમાં, કોઈક અનવસ્થિત સાધુમાં, અને પાર્થસ્થાદિ સાધુઓમાં દર્શનપક્ષ=સમ્યકત્વ હોય છે, અને પરલોકની આકાંક્ષાવાળા સુસાધુમાં તો દર્શનપક્ષ (ઉપલક્ષણથી જ્ઞાનપક્ષ) અને ચારિત્ર પક્ષ એ બન્ને (ત્રણે) હોય છે.
૧ આ સંબંધમાં શ્રી આવશ્યક નિર્યુક્તિમાં જે ઉપયોગી ચર્ચા છે તેને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે. . શિષ્ય પ્રશ્ન–અધ્યવસાયની વિશુદ્ધિથી આ સુવિહિત સાધુ છે અને
અવિશુદ્ધિથી આ પાર્થસ્થાદિ પતિત સાધુઓ છે, એમ અમો ઇશ્વસ્થ હેવાથી ઓળખી શકીએ નહિં માટે અને તે તેમને સાધુવેષ દેખીનેજ વાદના કરીએ તે ઉચિત છે.
ગુરૂ ઉત્તર–જે કેવળ સાધુવેષ દેખીનેજ વંદના કરતા હો ત્યારે તે જમાલી વિગેરે જાણીતા મિથ્યાષ્ટિઓને પણ સાધુવેષ હોવાથી,