________________
૧૦૮
શ્રી ગુરૂવંદન ભાષ્ય.
૪ (અવંદનીય) સંસક્ત સાધુના ૨ ભેદ છે ગુણ અને દોષ એ બંને વડે સંસક્ત એટલે મિશ્ર હોય તે સંત કહેવાય; જેમ ગાય વિગેરે પિતાને ખાવાની ટેપલામાં એઠું અથવા સારું ભેજન ખોળ કપાસીઆ વિગેરે સર્વ મિશ્ર થયેલું ખાય છે, તેમ આ સંસક્ત સાધુના મૂળગુણ (૨૫ મહાવ્રત), અને ઉત્તરગુણ (પિંડવિશુદ્ધિ-આહારશુદ્ધિ )રૂપ ગુણેમાં તેમજ તેથી વ્યતિરિક્ત બીજા પણ ગુણામાં ઘણા દોષ પ્રાપ્ત થચેલા હોય છે. તેના ૨ ભેદ છે તે આ પ્રમાણે-પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવયુક્ત રસ ગારવાદિ ૩( રસ–દ્ધિ-શાતા ) ગારવ ચુક્ત, સ્ત્રી અને ગૃહયુક્ત ઈત્યાદિ દોષયુક્ત હોય તે શું વિષ્ટ સંસા, અને પાર્થસ્થાદિ પાસે જાય ત્યારે તેવા ગુણવાળે થાય, અને સંવિજ્ઞ સાધુઓમાં વસે ત્યારે જાણે સંવિજ્ઞ ગુણવાળ હોય એવા આચારવિચાર રાખે એ પ્રમાણે જ્યાં જાય ત્યાં તેવા પ્રકારને આચાર પાળે તે ગર્લાસ્ટિક સં. એ બને અવંદનીય છે. છે ૫ (અવંદનીય) યથાણંદ સાધુના અનેક ભેદ છે
ઉત્સવ પ્રરૂપણા કરે, પિતાની મતિકલ્પના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુના કે શિષ્યના અલ્પ અપરાધમાં પણ વારંવાર ક્રોધ-આક્રોશ કરે, પોતાની કલ્પના પ્રમાણે આગમને અર્થ વિચારી વિગઈ વિગેરેના ઉપભેગથી સુખશીલ થઈ વિચરે, ત્રણ ગારવ યુક્ત થાય, ઇત્યાદિ અનેક પ્રકારનાં લક્ષણવાળો અથાઝું (એટલે આગમની અપેક્ષા વિના પિતાના ઈદે ચાલનાર) સાધુ જાણ, તે જૈનદર્શનમાં અવદનીય ગ છે.
એ પાર્થસ્થાદિ સાધુઓને વંદના કરવાથી કીર્તિ કે કર્મનિર્જરા ન થતાં કેવળ કાયલેશ અને કર્મબધજ થાય છે. ( ઇત્યાદિ વિશેષ ભાવાર્થ આવ૦ નિયંતિમાં ઘણું કહે છે ) તો પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિકના ગાઢ કારણે કેઈ વખતે પા“સ્થાદિકને પણ વંદના કરવાનું કહ્યું છે, તેનું કારણ કે, પા. સ્થાદિક સાધુએ જે કે ચારિત્રના અસંભવવાળા છે તે પણ