________________
દ્વાર ૩ જું (પ અવંદનીય સાધુ) ૧૦૫ કુમાર અભવ્ય હતું તેથી કાયાથી વંદના કરી પરંતુ ચિત્તમાં તે લોભ વૃત્તિ જ હતી. કણે પ્રભુ પાસે જઈને આપને પ્રથમ વંદના કોણે કરી ? એમ પૂછાતાં પ્રભુએ કહ્યું કે–પાલકકુમારે પ્રથમ અહીં આવીને દ્રવ્ય વંદના કરી, અને શામ્બકુમારે ઘરે બેઠા ભાવવંદના કરી છે, જેથી કૃષ્ણ શામ્બકુમારને અશ્વરત્ન આણ્યે. એમાં પાલક અભવ્યનું દ્રવ્ય કાવ, અને શાબકુમારનું માવ પૂગર્મ જાણવું. નિ ૯મું દાન છે
એ પાંચમાં વંદના વિષય છે કે તુલ્ય છે, તે પણ પ્રથમ કહેલ વ્યુત્પત્તિ અર્થવાળી ક્રિયાઓની મુખ્યતા ગણીને તે તે વંદના જુદા જુદા નામવાળી જાણવી.
અવતર-હવે એ પ્રકારના અવંદનીય સાધુનું રૂનું દ્વાર આ ગાથામાં કહેવાય છે – पासत्थो ओसन्नो, कुसील संसत्तओ अहाउँदो । दुग-दुग-ति-दु-णेगविहा, अवंदणिज्जा जिणमयंमि।१२। | શબ્દાર્થ—ગાથાવત સુગમ છે.
નાથાર્થ–પાર્થસ્થ ( અથવા પાશસ્થ ), અવસર્જા, કુશીલ, સંસક્ત, અને યથાઈદ (એ ૫ પ્રકારના સાધુ તે અનુક્રમે ) ૨-૨-૩-૨ અને અનેક પ્રકારના છે, અને તે જૈન દર્શનને વિષે અવંદનીય ( નહિ વાંદવા યોગ્ય) કહ્યા છે. ૧૨ છે
માવાર્થગાથામાં કહેલા ૫ અવંદનીય પાર્થસ્થાદિ સાધુએનું કિંચિત સ્વરૂપ આ પ્રમાણે| ૧ (અવંદનીય) પાર્થસ્થ સાધુના ૨ ભેદ છે
જ્ઞાન દર્શન ચારિત્રની પાર્શ્વ=પાસે રશ=રહે (એટલે જ્ઞાનાદિકને પાસે રાખે પરંતુ સેવે નહિ) તે પર્યંચ કહેવાય, અથવા કર્મબંધના હેતુ જે મિથ્યાત્વ વિગેરે તે રૂપ પર પાશ (જાળ) માં વર્તે તે પરાસ્થ કહેવાય,